દાહોદ : ઈન્દોર - અમદાવાદ હાઇવે ઉપર લૂંટ ચલાવતી ગેંગના ત્રણ સભ્યો ઝડ્પાયા

New Update
દાહોદ : ઈન્દોર - અમદાવાદ હાઇવે ઉપર લૂંટ ચલાવતી ગેંગના ત્રણ સભ્યો ઝડ્પાયા

દાહોદ જિલ્લામાં ઈન્દોર-અમદાવાદ હાઈવે ઉપર રાત્રિના સમયે વાહન પંચર કરી લૂટ ચલાવતી ગેંગના ત્રણ સભ્યોને દાહોદ પોલીસે 47000 હજારની કિમ ના સોનાના દાગીના સાથે ઝડપી લઈ ચાર લૂટનો ભેદ ઉકેલ્યો છે.

Advertisment

છેલ્લા કેટલાય સમય થી અમદાવાદ –ઈન્દોર હાઈવે ઉપર રાત્રિના સમયે હાઈવે ઉપર રેલવેલાઈનના ધારદાર પથ્થરો કાળી માટી સાથે મૂકી વાહન પંચર પાડીને લૂટ ચલાવતી ગેંગ એ આતંક મચાવ્યો હતો. જેને પગલે રાત્રિના સમયે વાહચાલકોને પસાર થવામાં ભય લાગતો હતો.

વારંવાર બનતી ઘટનાને પગલે દાહોદ અને પંચમહાલ પોલીસે હાઈવે ઉપર 2 થી 4 કિમીના અંતરે પોલીસ સહાયતા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. સાથે જ પોલીસ પેટ્રોલીંગ વધારીને લૂટના બનાવો ઉપર કાબૂ મેળવ્યો હતો.આ ગુનામાં સંડોવાયેલ ગેંગની તપાસ હાથ ધરી હતી. જેમાં ગતરોજ પોલીસને બાતમી મળી હતી. કે લૂટનો મુદ્દામાલ વેચવા માટે આરોપી ઑ કંબોઈ ચાર રસ્તા આવાના છે. બાતમીને આધારે પોલીસની અલગ ટીમોએ વોચ ગોઠવી હતી. અને આરોપીઑ 47000ની કિમતની સોનાની ચેન અને વિટી વેચવાના ફિરાકમાં હતા. ત્યારે પોલીસે કોર્ડન કરી ત્રણેય આરોપી 1- દીપસીહ સોમલાભાઈ બામણીયા, 2- મુકેશ જાલુભાઈ બામણીયા, 3- અલકેશ લલ્લુભાઈ બામણીયા, ત્રણેય ગરબાડા તાલુકાના માતવા ગામના રહેવાસી છે જેઑ ને ઝડપી લીધા હતા.

આ ગેંગ કુલ 6 સભ્યો ની છે જેમાં થી ત્રણ ની ધરપકડ કરાઈ છે જ્યારે આની ત્રણ આરોપી ઑ ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે આ ગેંગ ના સભ્યો અગાઊ પણ અનેક ધાડ-લૂંટ અને હત્યા ના ગુનામાં સંડોવાયેલા છે આ ગેંગ ના સભ્યો જેલ માઠી છૂટયા બાદ ફરીથી ગુનાહિત પ્રવૃતિ ઑ માં જોડાઈ જઈ હાઈવે ઉપર પસાર થતાં વાહનો ને પંચર પાડી લૂટ ચલાવી અને નજીક ના જંગલ વિસ્તારમાં પલાયન થઈ જાય છે .

Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

Advertisment

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.