/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-94.jpg)
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ આ સીઝનમાં તેની મહત્તમ સપાટીએ પહોંચે તેવી પૂર્ણ શકયતા છે.ગત વર્ષ કરતા આ વર્ષે 2592 mcm લાઈવ સ્ટોક પાણી વધુ સંગ્રહ થયુ છે.2018માં પાણીનો લાઈવ સ્ટોરેજ સંગ્રહ માત્ર 46.20mcm હતો તેની સામે આ વર્ષે 2639 mcm લાઈવ સ્ટોક ઉપલબ્ધ છે.ગત વર્ષે મધ્યપ્રદેશમાં ઓછા વરસાદને કારણે અડધું અડધ 4.5 maf પાણી મળી શક્યું હતું.તેની પાછળનું મુખ્ય કારણ કેચમેન્ટ વિસ્તારમાં પણ માત્ર 451 મી.મી. વરસાદ ખાબક્યો હતો.આ વર્ષે તેના કરતાં ડબલ વરસાદ વરસ્યો છે.હાલમાં પાણીની સપાટી 127.43 મીટર છે,ગત વર્ષે માત્ર 111.03 મીટર જ હતી.
આમ ગુજરાતની જીવાદોરી આ વર્ષે સંપૂર્ણ ભરાઈ જશે તેવી આશા સર્જાઈ છે.2017માં ગેટ બંધ થયા બાદ ડેમ ઓવરફ્લો થતો બંધ થયો છે. નહિતર આ વર્ષે ડેમ 6 મીટરથી ઓવરફ્લો થઇ રહ્યો હોત અને લાખો ક્યુસેક્સ પાણી દરિયામાં વહી ગયું હોત. સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ ક્ષમતાએ ભરાય જેથી પીવા અને સિંચાઈનું પાણી તેમજ વીજળી ઉત્પન્ન કરી શકાય. અને સાચા અર્થમાં બહુહેતુક યોજનાનો હેતુ સિદ્ધ થઈ શકે તેમ સરકાર ઇચ્છી રહી છે. ડેમમાં પાણી વધવાથી ગુજરાત સાથે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનને પણ ફાયદો થશે.જો કે પાણીની આ વિપુલ આવક માત્ર કેચમેન્ટ વિસ્તારમાં થયેલ વરસાદને કારણે થયેલ છે.હજી મધ્યપ્રદેશ્ના અન્ય ડેમોમાં માંથી પાણી છોડાયું નથી પણ આવનાર દિવસોમાં જ્યારે તે ડેમોમાંથી પાણી ચૂડાશે ત્યારે નર્મદા ડેમની સપાટીમાં હજુ વધારો નોંધાશે.