પાલેજમાં પીર મોટમિ્યા બાવાના બે દિવસીય ઉર્સ (મેળા)નો દબદબાબેર પ્રારંભ

New Update
પાલેજમાં પીર મોટમિ્યા બાવાના બે દિવસીય ઉર્સ (મેળા)નો દબદબાબેર પ્રારંભ

ઘેર ઘેર ગાયો પાળોનો ઉપદેશ આપનાર, કોમી એક્તાના પ્રખર હિમાયતી, વ્યસન મુક્તિના પ્રણેતા, માનવસેવાના ભેખધારી, હિઝ હોલિનેસથી સન્માનિત થયેલા માંગરોલની ગાદીવાળા હજરત પીર મોટામિયા રાજવલ્લભ સાહેબના બે દિવસીય ઉર્સ (મેળા)નો પાલેજ સ્થિત ચિશ્તિયા નગર ખાતે ગુરુવારના રોજથી દબદબાભેર પ્રારંભ થયો છે. આ પ્રસંગે ચિશ્તિયા નગર સ્થિત આવેલી હજરત પીર મોટામીયા બાવા સાહેબની દરગાહ પર મોટામીયા બાવાની ગાદીના સજ્જાદાનશીનો હજરત પીર સલીમુદ્દીન બાવા સાહેબ તેમજ હજરત પીર મોઇનુદ્દીન પીરજાદા બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફની વિધિમાં ખુબ જ મોટી સંખ્યામાં હિંદુ - મુસ્લિમ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

૧૯ એપ્રિલના રોજ અસ્તિત્વ ઉત્સવ પ્રસંગે ખ્યાતનામ સાહિત્યકારો પોતાના સાહિત્યને પીરસી હાજરજનોને રસબોળ કરશે તેમજ અજીમ નાઝાનો શમા એ મહેફીલનો કાર્યક્રમ પણ યોજાશે. બે દિવસીય ઉર્સ પ્રસંગે પાલેજ નગર સહિત પંથકના ગ્રામીણ વિસ્તારના તેમજ હજરત પીર મોટામિયા બાવા સાહેબના ચૌધરી સમાજના આદિવાસી અનુયાયીઓ ઉર્સ (મેળામાં) ભાગ લઇ સાંપ્રત સમયમાં માનવ - માનવ વચ્ચે વેર - ઝેરના બીજ રોપી સમાજમાં વૈમનસ્યનું સર્જન કરનાર માનવતાના શત્રુઓને કોમી એક્તાનો એક અનુપમ સંદેશો આપી કોમી એક્તાના દિપકને પ્રજ્વલ્લિત કરશે.

Read the Next Article

“એક ટીપું પાણી નહીં, એક ઇંચ જમીન નહીં” : વલસાડના નડગધરી ગામેથી જીજ્ઞેશ મેવાણી-અનંત પટેલનો હુંકાર...

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી

New Update

ધરમપુર તાલુકાના નડગધરી ગામ ખાતે યોજાયો કાર્યક્રમ

ભગવાન બિરસામુંડાની પ્રતિમાનુંઅનાવરણ કરવામાં આવ્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિ

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ રહ્યા વિશેષ ઉપસ્થિત

પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી તેમજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું છેત્યારે વાંસદા ધારાસભ્ય અનંત પટેલે 2 હજાર જેટલા લોકોને શપથ લેવડાવ્યા હતા. જેમાં પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા સાથેએક ટીપું પાણી નહીંએક ઇંચ જમીન નહીંના સૂત્રોચ્ચાર થકી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વધુમાં આગામી તા. 14ના રોજ ધરમપુર ખાતે પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી પણ યોજાશે.

તો બીજી તરફગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીએ પાર તાપી રિવર લિંક પ્રોજેકટમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યુ હતું. 50 વર્ષથી વધુના રેકોર્ડ માંગીને આદિવાસી સમાજનો એક વર્ગ શિક્ષણ-રાજકીય પ્રતિનિધિત્વ અને સરકરી નોકરીથી વચિંત રહે તેવો સરકારનો કારસો તેમજ ભાજપ સરકાર આદિવાસી સમાજ સાથે છેતરપિંડી કરતી હોવાનો જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો.