New Update
![બનાસકાંઠાના થરાદ સાચોર હાઇવે ઉપર લકઝરી અને જીપ વચ્ચે અકસ્માત, ૩ના મોત](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/asdsa-2.jpg)
બનાસકાંઠાના થરાદ સંચોર રોડ આવેલ પીલૂડાં ગામ પાસે રાજસ્થાન પાસિંગની લકઝરી બસ અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં ત્રણ ઘાયલ લોકોને સારવાર મળે તેના પહેલા જ તેમના ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.
જયારે લકઝરી બસમાં બેસેલ અન્ય મુસાફરોને પણ નાની મોટી ઇજાઓ થવા પામી હતી. આ અકસ્માત બાદ લકઝરી બસનો ડ્રાઈવર બસ મુકી ભાગી જવામાં સફળ રહ્યો હતો.આ અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટના ની જાણ થતાં જ પોલિસ પણ દોડી આવી હતી અને અકસ્માતમાં ઘાયલ થયેલ મુસાફરોને સારવાર અર્થે ૧૦૮ મારફત હોસ્પીટલમાં ખસેડયા હતા.
Latest Stories