New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-555.jpg)
રથયાત્રાના ભાગ રૂપે ભરૂચના આંબેડકર હોલ ખાતે ભરૂચ એસ.ડી.એમ. દેસાઈ,ભરૂચ ડીવાયએસપી વાઘેલા,ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તબાકુવાળાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં નિકળનારી પૌરાણિક યાત્રા ભરૂચના કતોપોર બજાર થી નિકળી શહેરના હિન્દુ -મુસ્લિમ વિસ્તારમાં ફરી ભરૂચના ભોઈવાડ ખાતે સમાપન કરવામાં આવે છે. ત્યારે આ વિસ્તારોમાં રથયાત્રા પસાર થતી વેળા સુલેહ શાંતિ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હિન્દુ -મુસ્લિમ બંન્ને સમાજના લોકો સાથે વાતોઘાટો કરી શાંતિપૂર્ણ રીતે ભગવાન જગન્નાથની આ રથયાત્રાને સફળ બનાવા કટિબ્ધતા બતાવી હતી.