રાજકોટ રણજીત વિલાસ પેલેસમાં હાથોમાં તલવાર લઈ દીકરીઓ રમે છે રાસ

New Update
રાજકોટ રણજીત વિલાસ પેલેસમાં હાથોમાં તલવાર લઈ દીકરીઓ રમે છે રાસ

સામાન્ય રીતે નવરાત્રીમાં યુવતીઓ અને મહિલાઓને તાલીરાસ અથવા તો દાંડિયા રાસ રમતા જોયા હશે. પરંતુ રાજકોટમાં રમાય છે નાની બાળાઓ નો રાસ અને તે પણ તલવાર સાથે.

Advertisment

નવરાત્રીમાં માઈભક્તો ગરબે રમી માતાજીની પૂજા, અર્ચના અને આરાધના કરતા કરે છે. પૌરાણિક સમયથી ચાલી આવતી પ્રાચીન અને અર્વાચીન રાસ કે જે માતાજીના ગરબા પર રમવામાં આવે છે. ત્યારે રાજકોટનાં રણજીત વિલાસ પેલેસમાં પણ માતાજીની આરાધના કરવા અને ક્ષત્રિય સમાજની એક પરંપરા મુજબનો તલવાર રાસ રમવામાં આવે છે. ક્ષત્રિય મહિલા મંડળ અને ભગીની સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશન દ્વારા રાજપૂત સમાજની નાની બાળાઓને તલવાર રાસ સીખવાડવામાં આવે છે અને આ બાળાઓ દ્વારા નવરાત્રીમાં ખાસ તલવાર રાસ રજુ કરવામાં આવે છે.

સામાન્ય રીતે નાની બાળાઓ દ્વારા તાલી રાસ કે પછી દાંડીયા રાસ રમવામાં આવતો હોય છે પરંતુ અહીં તલવાર રાસ સૌ કોઈ માટે આકર્ષણ ભર્યો રાસ સાબિત થઇ રહ્યો છે. રાજપૂત સમાજની બાળાઓ દ્વારા બંને હાથમાં તલવાર લઈને રાસ રમવામાં આવે છે અને આ બાળાઓ એક, બે નહિં પરંતુ સતત ત્રણ કલાક સુધી એકધારી તલવાર ફેરવી શકે છે. ક્ષત્રિય સમાજમાં તલવાર અને તેના રાસનું એક અલગ જ મહત્ત્વ છે. જે લુપ્ત થઇ રહ્યું છે અને તેને ટકાવી રાખવા માટે છેલ્લા 8 વર્ષ થી પેલેસમાં તલવાર રાસ રમવામાં આવે છે. નવરાત્રી પર મા જગદંબા આરાધના કરવામાં આવે છે, અને તલવાર તેનું પ્રતિક ગણાય છે. ત્યારે તલવાર થકી મા ની આરાધના કરવામાં આવે છે. તો બીજી તરફ તલવાર રાસમાં કેસરી કલરના વસ્ત્રો પહેરવામાં આવે છે. જે ભૂતકાળમાં રાજપૂતો દ્વારા યુદ્ધ લડયા હતા તે સમયે તેવો કેસરી કલરના જ વસ્ત્રો પહેરવામાં આવતા હતા અને તેના બલિદાનની ભાવનાને ઉજાગર કરવા માટે આજે પણ કેસરી ડ્રેસમાં તલવાર રાસ રમવામાં આવે છે.

રાજકોટમાં આમતો અનેક પ્રાચીન અને અર્વાચીન ગરબા યોજાય છે, પરંતુ રાજાના મહેલ એટલે કે રણજીત વિલાસ પેલેસમાં જે રાસ રમાડવામાં આવે છે તે સૌથી અલગ બની રહે છે. અને તેમાં પણ ખાસ તલવાર રાસ કે જે રાજપૂતોની એક ખુમારી અને શક્તિને બતાવવાની સાથોસાથ માતાજીના આરાધના માટેનો રાસની એક ઝલક નિહાળવા માટે દુર દુર થી લોકો આવે છે.

Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

Advertisment

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.

Latest Stories