વડોદરા : ડભોઇમાં વરસાદને પગલે ભરાયા પાણી, પ્રિમોનસુન કામગીરી સામે સવાલ

New Update
વડોદરા : ડભોઇમાં વરસાદને પગલે ભરાયા પાણી, પ્રિમોનસુન કામગીરી સામે સવાલ

વડોદરા જિલ્લાના ડભોઇ પંથકમાં 24 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબખ્યો છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, ત્યારે નગર પાલીકાની પ્રિમોનસુન કામગીરી સામે સવાલો પણ ઉઠ્યા છે.

ડભોઇ તાલુકામાં છેલ્લા 3 દિવસથી છૂટા છવાયા વરસાદ બાદ ગત રોજથી ભારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેને પગલે 24 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ડભોઇના વિવિધ વિસ્તારો જેવા કે મહુડી ભાગોળ, માછીવાડ ખાડા, રેલ્વે ફાટક ખાડા વિસ્તાર, જનતાનગર, સિકંદરભાઈ ચાલી વિસ્તાર, અંબિકા નગર, ઉમા કોલોની, નંદનવન, શિવશક્તિ, પ્રભૂદાસ પાર્ક, શ્રીનાથજી સોસાયટી, આશીર્વાદ સોસાયટી, ડેપો વિસ્તાર, નગરપાલીકા શોપીંગ, પશુ દવાખાના, સિવિલ કોર્ટ સહિતના વિવિધ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.

ડભોઇ પંથકમાં ભારે વરસાદ વરસતા નગરપાલીકાની પ્રિમોનસુન કામગીરી ઉપર મોટા સવાલો ઊભા થયા છે. પાણીનો કોઈ નીકાલ ન હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ચાલુ વર્ષે સિઝનનો કુલ 60.24 ઇંચ વરસાદ વરસ્યો હોવાને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોના 15000 હેક્ટરમાં વાવેલ ડાંગરનો પાક સારો ઊગશે તેવી આશા વ્યક્ત કરી છે.

Read the Next Article

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર વિદ્યાર્થીની ચેટ આવી સામે

સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું

New Update
Seventh Day School Khokhra

અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી હતી તપાસમાં હત્યારા વિદ્યાર્થીએ ઘટના બાદ જે સોશિયલ મીડિયા પર ચેટ કરી હતી તે પોલીસના હાથે લાગી છે અને તેમાં ખુલાસો થયો છે જેમાં આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.

Seventh Day School Khokhra

મૃત વિદ્યાર્થીએ તેને તું કોન હૈ ક્યાં કર લેગા? તેમ કહ્યું હતું એટલે મેં ચાકુ માર્યુ તેવી ચેટ જોવા મળી છે. સામેના શખ્સે કહ્યું કે સામેના શખ્સે કહ્યું, અરે તો ચાકૂ થોડી મારના હોતા હૈ...આ ચેટ તેના કોઇ મિત્ર અથવા ભાઇ સાથેની હોઇ શકે છે. સામે જે શખ્સ છે તેણે આરોપીને અંડરગ્રાઉન્ડ થવાની સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા આ બનાવની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ જે જાડેજા આ હત્યાની તપાસ કરી રહ્યા છે.

Latest Stories