વહિયાલ ગામના સરપંચ વિરુદ્ધ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા મુકવામાં આવેલ અવિશ્વાસની દરખાસ્તનો થયો ફિયાસ્કો

New Update
વહિયાલ ગામના સરપંચ વિરુદ્ધ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા મુકવામાં આવેલ અવિશ્વાસની દરખાસ્તનો થયો ફિયાસ્કો

બે તૃતીયાંશ બહુમત સભ્યો અવિશ્વાસ દરખાસ્તમાં ન થતા સરપંચ પદે કનકસિંહ બરકરાર

વાગરા તાલુકાના વહીયાલ ગામે ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ પંચાયતના સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓ ટાંકીને અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. પરંતુ અવિશ્વાસની દરખાસ્ત મુકનાર સભ્યો તરફે બહુમતીનો અભાવ હોવાથી દરખાસ્ત ટકી ન શકતા સરપંચ પદ બરકરાર રહેવા પામ્યું હતું.

વાગરાના વહીયાલ ગામે કુલ ૮ સભ્યોનું સંખ્યાબળ ધરાવતી વહીયાલ ગ્રામ પંચાયતમાં પાંચ સભ્યો દ્વારા અલગ અલગ ૧૩ મુદ્દાઓ ટાંકીને ગ્રામ પંચાયતના સરપંચ કનકસિંહ શિવસિંહ યાદવ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.

publive-image

જે અંગે વહીયાલ ગ્રામ પંચાયત ખાતે પી.કે ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને અવિશ્વાસ દરખાસ્ત બેઠક યોજવામાં આવી હતી.જેમાં ડેપ્યુટી સરપંચ સહીત પાંચ સભ્યોએ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મત આપ્યો હતો.જયારે સપંચ સહીત અન્ય ત્રણ સભ્યોએ દરખાસ્તની વિરુદ્ધ મત આપતા અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થઇ જવા પામ્યો હતો.

અત્રે નોંધનીય છે કે ગુજરાત પંચાયત ધારા ૧૯૯૩ ની કલમ ૫૬ મુજબ પંચાયતના કુલ સભ્યોની સંખ્યાના બે તૃત્યાંસ બહુમત સભ્યો થાય તો જ અવિશ્વાસની દરખાસ્ત મંજુર થઇ શકતી હોય છે.આમ વહિયાલ ખાતે દરખાસ્તની તરફેણમાં ૬ ને બદલે ૫ સભ્યો થતા અવિશ્વાસની દરખાસ્તનું સુરસુરીયું થઇ જવા પામ્યુ હતુ.અને સરપંચ અવિશ્વાસ દરખાસ્તની પ્રક્રિયામાંથી હેમખેમ પસાર થઇ ગયા હતા.

વહીયાલ ખાતે અવિશ્વાસ દરખાસ્ત યોજાવાની હોઈ શાસક પક્ષ અને વિરોધ પક્ષના ટોળા જામતા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તકેદારીના ભાગરૂપે વાગરા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.જ્યારે સરપંચ અવિશ્વાસની દરખાસ્તમાં થી હેમખેમ પાર થઈ જતા તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને વિજ્યોત્સવ મનાવ્યો હતો.

અવિશ્વાસ દરખાસ્તની તરફેણ (સમર્થન)માં મત આપનાર

(૧) યુનુસભાઈ રાજભા ચૌહાણ (ડે- સરપંચ)

(૨) જમનાબેન દિનેશભાઇ વસાવા

(૩) ચંન્દ્રિકાબેન પ્રદીપસિંહ રાજ

(૪) મેરૂભાઈ મોતીભાઈ રાઠોડ

(૫) ગણપતભાઈ નાગજીભાઈ પ્રજાપતિ

અવિશ્વાસ દરખાસ્તની વિરુદ્ધ (વિશ્વાસ)માં મત આપનાર

(૧) સિંધા નાથુભાઈ અંબાલાલ

(૨) કપિલાબેન શાંતિલાલ

(૩) રેખાબેન જોરાવરસિંહ યાદવ

(૪) કનકસિંહ શિવસિંહ યાદવ ( સરપંચ)

Read the Next Article

સાપુતારા: ચેઈન ચોરી કરનાર 2 આરોપીને સીસીટીવીના આધારે ઝડપી પાડતી પોલીસ

સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો જન્માષ્ટમીના દિવસે સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

New Update
Saputara Police

ડાંગના સાપુતારા ખાતે જન્માષ્ટમીના દિવસે સુરતના એક પરિવારની ચેઈન સ્નેચિંગની ઘટના બની હતી. ગીરીમથક સાપુતારા ખાતે ટૂંકા વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ધસારો જોતા જન્માષ્ટમીને દિવસે સુરતનો એક પરિવાર સાપુતારા ખાતે ફરવા આવ્યો હતો. સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

ભોગ બનનારા સુરતના પરિવારના રાજેશ કથીરિયાએ સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી સાપુતારા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક અસરથી જિલ્લામાં નાકાબંધી કરી હતી. પોલીસે સીસીટીવી તેમજ એન્ટી હુમન સોર્સના માધ્યમથી ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીની કડક સઘન પૂછપરછ કરવામાં આવતા બંને આરોપીઓએ ગુનાની કબુલાત કરી હતી.સાપુતારા પોલીસે 1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આ બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા.