વાગરાના પખાજણ ગામની સીમમાંથી ONGCના વેલમાંથી ડીઝલ ચોરીમાં ત્રણ ઝડપાયા

New Update
વાગરાના પખાજણ ગામની સીમમાંથી ONGCના વેલમાંથી ડીઝલ ચોરીમાં ત્રણ ઝડપાયા

ભરુચ એસઓજી પોલીસે ડીઝલનો જથ્થો, ટેમ્પો અને પ્લાસ્ટિકના કારબા મળીને કુલ રૂપિયા 2.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

Advertisment

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પખાજણ ગામની સીમમાં આવેલ ONGCના વેલમાંથી ડીઝલ ચોરીના ગુનામાં ત્રણ આરપીઓની એસઓજી પોલીસે ધરપકડ કરીને રૂપિયા 2.17 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

unnamed-5

વાગરા તાલુકાના ફિલ્ડમાં પથરાયેલી ONGCની ક્રૂડ ઓઈલની પાઈપલાઈન તેમજ વેલ માંથી ક્રૂડ ચોરીને અટકાવવા માટે ભરૂચ એસઓજી પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવ્યુ હતુ. જેમાં વાગરાના પખાજણ ગામની સીમમાં આવેલ વેલ નંબર 345ની રિંગ માંથી ડીઝલ ચોરીને અંજામ આપીને એક છોટાહાથી ટેમ્પામાં પ્લાસ્ટિકના કારબામાં ડીઝલનો જથ્થો ચોરીને લઇ જવામાં આવતો હતો.

જે ટેમ્પો એસઓજી પોલીસે ઝડપી લઈને પુછપરછ કરતા ટેમ્પામાં સવાર હિફઝુલ રહેમાન યાકુબ પટેલ, રસીદ અહમદ પટેલ, અને શબ્બીર ઇસ્માઇલ પટેલ ત્રણેય રહે આછોદ ગામ, આમોદ તાલુકાનાઓ એ ONGC વેલની રિંગ માંથી ડીઝલ ચોરીની કબૂલાત કરી હતી.

unnamed-6

પોલીસે ત્રણેયની ધરપકડની સાથે છોટા હાથી ટેમ્પો,પ્લાસ્ટિકના કારબા નંગ 6 તથા ચોરી કરીને બેરલમાં ભરેલ ડીઝલનો જથ્થો 640 લીટર તેમજ મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 2,17,850 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ અંગેની ફરિયાદ વાગરા પોલીસ મથક ખાતે દર્જ કરવામાં આવી છે અને આરપીઓ ના ગુનાહિત ભૂતકાળ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે ત્રણ આરોપીઓ પૈકી રસીદ અહમદ પટેલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી હોવાનું પણ બહાર આવ્યુ છે.

અત્રે નોંધવુ ઘટે કે પખાજણની સીમમાં આવેલ ONGC વેલ નંબર 345માં ક્રૂડ ઓઇલની ચોરી દરમિયાન આગ લગતા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા.

Read the Next Article

ભાવનગર : પાલીતાણા રૂરલ પોલીસની સરાહનીય કામગીરી,વ્યાજખોરના ચુંગાલમાંથી પરિવારને કરાવ્યો મુક્ત

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા ગરીબ પરિવાર માટે રૂરલ પોલીસ દેવદૂત બની છે.

New Update
  • પાલીતાણા પોલીસનો દેવદૂત અવતાર

  • વ્યાજખોરના ચુંગાલમાંથી પરિવાર મુક્ત

  • 3.50 લાખના ઘરેણાં અપાવ્યા પરત

  • રૂરલ પોલીસની સરાહનીય કામગીરી,

  • પોલીસે વ્યાજખોરને જેલમાં ધકેલ્યો

Advertisment

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા ગરીબ પરિવાર માટે રૂરલ પોલીસ દેવદૂત બની છે.માત્ર 25 દિવસમાં કડક કાર્યવાહી કરીને પોલીસે પરિવારના 3.50 લાખના ઘરેણાં પરત અપાવ્યા હતા,અને વ્યાજખોરને જેલમાં ધકેલી દીધો હતો.

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં રહેતા મગનભાઈજે હીરા ઘસવાના કામ સાથે સંકળાયેલા છેતેમના 10 વર્ષના દીકરાની ડાયાબિટીસની સારવાર માટે 2020માં ગામના જ વ્યાજખોર જેમા કાળુભાઈ વાળાની પાસેથી 3 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. ત્રણ વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ પણ મૂળ રકમ માટે કડક ઉઘરાણી ચાલુ રાખી હતી.દબાણ હેઠળ મગનભાઈએ પત્નીના 3.50 લાખના ઘરેણાં પણ વ્યાજખોરને આપી દીધા હતા.છતાં પણ વ્યાજખોરે વધુ 1.50 લાખની માંગણી કરી હતી.

આર્થિક અને માનસિક ત્રાસથી ભાંગી પડેલા પરિવારે આખરે પોલીસનો સહારો લીધો હતો. પાલીતાણા રૂરલ પોલીસની ટીમે માત્ર 25 દિવસમાં કાર્યવાહી કરીને ઘરેણાં પરત અપાવ્યા અને વ્યાજખોરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ કામગીરીએ વ્યાજખોરોના ત્રાસનો સામનો કરતા અનેક પરિવારો માટે આશાનું કિરણ ફેલાવ્યું છે.

Latest Stories