વાલિયામાં બળાત્કારની ઘટના થી ચકચાર 

New Update
વાલિયામાં બળાત્કારની ઘટના થી ચકચાર 

ભરૂચ જિલ્લા ના વાલિયા તાલુકા ના એક ગામ માં સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેવાની ઘટના એ ચકચાર જગાવી છે.

Advertisment

જાણવા મળતી વિગતો અનુસાર વાલિયા ના એક ગામ માં રહેતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને યુવકે લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતુ,જેના કારણે સગીરા ગર્ભવતી થતા યુવકે તેણીને ગર્ભ પડાવી નાખવા માટે જણાવ્યુ હતુ અને સમાજમાં બદનામ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધાકધમકી આપી હતી.

કહેવાતા પ્રેમ માં ગળાડૂબ બનેલી સગીરા ને યુવક તરફથી તરછોડવામાં આવતા યુવતીએ આખરે ન્યાય માટે વાલિયા પોલીસના ધ્વાર ખટખટાવ્યા હતા.અને પ્રેમી યુવક સામે આ અંગે ની ફરિયાદ દર્જ કરાવી હતી.

પોલીસે ભોગ બનેલી સગીર યુવતી ની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment