/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-95.jpg)
સુરતના પાર્લેપોઇન્ટ સ્થિત આવેલુ વિશાલ દર્શન એપાર્ટમેન્ટ મોડી રાત્રે નમી ગયું હતું અને વહેલી સવારે ધડાકાભેર ધરાશાહી થયું હતું આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી રહીશોને બનાવની જાણ થતા તેઓએ તાત્કાલિક બિલ્ડીંગ ખાલી કરી દીધું હતું
સુરતના પાર્લેપોઇન્ટ ખાતે વિશાલ દર્શન એપાર્ટમેન્ટ આવેલું છે સોમવારે રાત્રે બિલ્ડીંગ નમી ગયું હતું રહીશોને બનાવની જાણ થતા તેઓએ બિલ્ડીંગ ખાલી કરી દીધું હતું બાદમાં વહેલી સવારે બિલ્ડીંગ ધડાકાભેર ધરાશાહી થયું હતું આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વિશાલ દર્શન એપાર્ટમેન્ટ લગબગ 35 વર્ષ જૂનું હતું. ચાર માળના આ બિલ્ડિંગમાં 16 ફ્લેટ અને 11 પરિવાર રહેતા હતાં. પરંતુ રાત્રે જ બિલ્ડિંગનો ભાગ નમી જતાં તમામને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યાં હતાં. બાદમાં લોકો સુરક્ષિત રીતે બહાર નીકળ્યાના થોડા સમય બાદ સવારે ચાર વાગ્યે બિલ્ડિંગનો ભાગ ધડાકાભેર નમી પડ્યો હતો. જો કે તેમાં કોઈને ઈજા જાન હાનિ પહોંચી નહોતી. ફાયરબ્રિગેડની એક ટીમ પણ સતર્કતાના ભાગ રૂપે તૈનાત રહી હતી