Connect Gujarat
Featured

રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ નોધાયા, 1389 દર્દીઑ થયા સાજા

રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ નોધાયા, 1389 દર્દીઑ થયા સાજા
X

ગુજરાત રાજ્યમાં આજે કોવિડ-19ના 1120 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 દર્દીઓના મોત થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4182 પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,28,803 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 13018 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,11,603 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 63 દર્દી વેન્ટીલેટર પર છે અને 12955 લોકો સ્ટેબલ છે. ]

રાજ્યમાં આજે 1120 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 237, સુરત કોર્પોરેશનમાં 146, વડોદરા કોર્પોરેશનમાં 110, રાજકોટ કોર્પોરેશનમાં 102, મહેસાણા 47, વડોદરા- 41, ગાંધનીગર- 34, સુરેન્દ્રનગર 31, સુરત 29, રાજકોટ-27,સાબરકાંઠા 22, જામનગર કોર્પોરેશન 21,ગાંધીનગર કોર્પોરેશનમાં 19 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 11 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે કુલ 1389 દર્દી સાજા થયા હતા અને 55,807 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 87,25,383 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.48 ટકા છે.

Next Story