Connect Gujarat
Featured

રાજ્યમાં આજે 234 નવા કેસ નોધાયા, 353 લોકોને કરાયા ડિસ્ચાર્જ

રાજ્યમાં આજે 234 નવા કેસ નોધાયા, 353 લોકોને કરાયા ડિસ્ચાર્જ
X

રાજ્યમાં કોરોના કેસમાં દિવસે દિવસે સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં 234 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણથી 1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.56 ટકા પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે 353 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,57,473 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 2040 એક્ટિવ કેસ છે, જેમાંથી 24 લોકો વેન્ટિલેટર પર અને 2016 લોકો સ્ટેબલ છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું હતું. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4397 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે 234 નવા નોધાયેલ કેસ પૈકી વડોદરા કોર્પોરેશનમાં 60, અમદાવાદ કોર્પોરેશનમાં 43, રાજકોટ કોર્પોરેશનમાં 29 , સુરત કોર્પોરેશનમાં 29, વડોદરામાં 10, આણંદ 7, સુરત 7, ગાંધીનગર કોર્પોરેશન 5, રાજકોટ 5, નર્મદા 4 અને ગાંધીનગરમાં 3 કેસ નોંધાયા હતા.


ગુજરાતમાં અત્યાર સુધી 6,60,516 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 56,332 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.

Next Story