Connect Gujarat
Featured

રાજ્યમાં આજે કોવિડ-19ના 741 નવા કેસ નોધાયા,5 દર્દીના મોત

રાજ્યમાં આજે કોવિડ-19ના 741 નવા કેસ નોધાયા,5 દર્દીના મોત
X

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 741 નવા પોઝિટવ કેસ નોધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 5 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4314 પર પહોંચ્યો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 2,46,513 પર પહોંચી છે.

રાજ્યમાં હાલ 9477 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,2,722 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 62 દર્દી વેન્ટીલેટર પર છે અને 9415 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 741 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 147, સુરત કોર્પોરેશનમાં 105, વડોદરા કોર્પોરેશનમાં 101, રાજકોટ કોર્પોરેશનમાં 51, સુરત 37,વડોદરા-30, કચ્છ 26, રાજકોટ-24, પંચમહાલ 19, દાહોદ 18, આણંદ 15, ખેડા 14, મહેસાણા 14, ભરૂચ 10 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 5 દર્દીના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3 અને સુરત કોર્પોરેશનમાં-1 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે કુલ 922 દર્દી સાજા થયા હતા અને 52,980 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 97,59,280 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.41 ટકા છે.

Next Story