Connect Gujarat
Featured

રાજ્યમાં આજે કોરોનાના 315 નવા કેસ નોધાયા, 272 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં આજે કોરોનાના 315 નવા કેસ નોધાયા, 272 દર્દીઓ થયા સાજા
X

ગુજરાત રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં વધારો જેવા મળી રહ્યો છે. રાજ્યમા છેલ્લા 24 કલાકમાં 315 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 272 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે કોરોનાથી એક દર્દીનુ મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં એક મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4406 પર પહોંચ્યો છે.

રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.70 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 261281 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4406 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 1732 એક્ટિવ કેસ છે, જેમાંથી 30 લોકો વેન્ટિલેટર પર અને 1702 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 315 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 70, વડોદરા કોર્પોરેશમાં 59, સુરત કોર્પોરેશન 48, રાજકોટ કોર્પોરેશન 39, કચ્છ 10, વડોદરા 9, જામનગર કોર્પોરેશન 7, ખેડા 7, ગાંધીનગર કોર્પોરેશન 6, નર્મદા 6, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં 5-5 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં અત્યાર સુધી 8,13,582 લોકોને પ્રથમ ડોઝ અને 67,300 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.

Next Story