Connect Gujarat
ગુજરાત

નિઝરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સી.એમ વિજય રૂપાણીએ આપી શુભેચ્છા!

નિઝરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સી.એમ વિજય રૂપાણીએ આપી શુભેચ્છા!
X

ગૌરવવંતી આદિજાતિ પરંપરા જીવંત રાખવા સરકાર સંકલ્પબધ્ધ

મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૪૬ લાખના લાભોનું વનબંધુઓને વિતરણ

તાપી જિલ્લાના નિઝર ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઊજવણી અવસરે મુખ્ય મંત્રી સહભાગી થયા હતા. આદિવાસી સમાજની વિશાળ ઉપસ્થિ તિમાં મુખ્યસમંત્રીએ આદિવાસી કૂળદેવી યાહા મોગી માતાનું પૂજન કરી, આદિવાસી સમાજના મસિહા બિરસા મુંડાને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

વિશ્વ આદિવાસી દિવસ ઊજવણી અવસરે મુખ્ય્મંત્રીના હસ્તેએ રૂા .૪૬ લાખના વિવિધ લાભોનું વિતરણ સાથે રમતગમત, શિક્ષણ, વિદ્યાર્થીઓ, પશુપાલક સહિત વિવિધ પ્રતિભાશાળીઓનું મુખ્યુમંત્રીશ્રીના હસ્તે સન્મા્ન કરવામાં આવ્યુંઆ હતું.

[gallery td_select_gallery_slide="slide" ids="60003,60004,60005,60006,60007,60008,60009,60010,60011,60012,60013,60014,60015,60016,60017,60018,60019,60020,60021,60022,60023,60024,60025,60026,60027,60028,60029,60030,60031,60032,60033,60034,60035"]

વિજયભાઇ રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો કે આદિવાસી સંસ્કૃ તિની વિરાસતના જતન માટે રાજપીપળા ખાતે રૂા.૧૦૦ કરોડના ખર્ચે અલગ મ્યુઝિયમ બનાવવાના નિર્ણય સાથે ૪૦ એકર વિસ્તાખરમાં બિરસા મૂંડા આદિવાસી યુનિવસિર્ટીના નિર્માણ સાથે આદિવાસી સંસ્કૃવતિનું જનત થશે.

ગુજરાતની ગૌરવવંતી આદિવાસી સંસ્કૃ તિની પરંપરાને જીવંત રાખવા રાજય સરકાર કટિબદ્વ છે. આદિવાસીઓનો ભવ્યત અને ગૌરવવંતો ઇતિહાસ છે. ગુજરાતમાં આદિવાસીઓ પ્રત્યે સંવેદના છે. તેમનામાં આઝાદી પહેલાંથી જ રાષ્ટ્રઆભકિત પડેલી છે. અંગ્રેજો અને મોગલો સામે આઝાદી માટે શહીદી વ્હો રી છે. એવા આદિવાસી સમાજના સમરસ વિકાસ માટે રાજય સરકાર સંકલ્પતબદ્વ હોવાનું મુખ્યામંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યામંત્રીએ આદિવાસી સમાજના મહિસા બિરસા મુંડાને આદરાંજલિ આપી હતી. આદિવાસીઓના આઝાદીના ભવ્યય ઇતિહાસને વાગોળતા તેમણે જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહિસાગરના માનગઢમાં ગુરૂ ગોવિંદના નેતૃત્વતમાં ૧૬૦૦ આદિવાસીઓની શહીદી, વિજયનગરના શહીદો, તાત્યારભીલ, રૂપા નાયક સહિત આદિવાસીવીરોની બલિદાન એળે જવા દેશે નહીં. ડાંગના રાજાઓ અંગ્રેજો સામેલ લડયા હતા. ઇતિહાસના પાનામાં અનેક આદિવાસી ક્રાંતિવીરોએ કૂરબાની આપી છે.

અગાઉની સરકારોએ કયારેય આ વીર સપૂતોને યાદ કર્યા નથી. આ સરકારે અનોખી પરંપરાનો પ્રારંભ કરીને આદિવાસી સંસ્કૃયતિની વિરાસતને ઊજાગર કરવાનો મહત્વ નો નિર્ણય કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજયના આદિવાસી વિસ્તા રોમાં વિકાસની પરંપરાને આગળ વધારી છે. ૧૯૬ જંગલના ગામોને રેવન્યુ ગામો જાહેર કર્યા છે. હવે ગુજરાતનો આદિવાસી વૈશ્વિક પડકારો ઝીલીને વૈશ્વિક ફલક પર અગ્રેસર બની, રાજય-રાષ્ટ્રહમાં ભાગીદાર બનશે તેવી તેમ મુખ્યૈમંત્રીએ વ્યશકત કરી હતી.

આદિવાસી ક્ષેત્રમાં થયેલા વિકાસની ભૂમિકા આપતાં મુખ્યકમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય સહિત માળખાકીય સવલતો છેવાડાના માનવીને આપી છે. ૨૦૦૨માં સાત એકલવ્ય્ મોડેલ સ્કુલ હતી, જે આજે ૯૧ છે. ૨૦૦૧ના વર્ષમાં આદિવાસી ક્ષેત્રમાં ૪૭ ટકા શિક્ષણ હતું, જે વધીને ૨૦૧૧માં ૬૨ ટકા થયું છે. આ સરકાર ગરીબો, પીડિતો, આદિવાસીઓના હિતની સંવેદનશીલ સરકાર છે.

આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર અંબાજીથી ઊમરગામ પૂર્વપટ્ટીમાં ૯૦ લાખ આદિવાસીઓના ઉત્સ વમાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ભાગીદાર બન્યામ છે. ગુજરાતમાં આદિવાસી પ્રત્યેણની સંવેદના છે. હજ્જાવરો વર્ષથી પ્રકૃતિના પૂજકોની સંસ્કૃણતિ, ઉત્સેવ, જીવનશૈલીની અલગ છે. જેને ઊજાગર કરવાનો અવસર રાજય સરકારે પૂરો પાડયો છે. આદિવાસીઓએ દેશની રક્ષા માટે અંગ્રેજો અને મુગલો સામે શહીદી વ્હોારી છે. દેવમોગરા પરિસરનો રૂા.૧પ કરોડના ખર્ચે વિકાસ આ સરકારે કર્યો છે.

પેસા એકટનો ઉલ્લેખ કરીને આદિજાતિ મંત્રીએ જણાવ્યુંો હતું કે, ગૌણ વન પેદાશના રૂા.૪૦ કરોડ આદિવાસીઓને આપશે. વન અધિકાર હેઠળ ૯૦ હજાર થી વધુ આદિવાસીઓને ૧૩ લાખ એકર જમીન આપી છે. આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મેળવનારા સામે કડકમાં કડક કાયદો દેશભરમાં પ્રથમ ગુજરાતે બનાવ્યો છે. જેમાં ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે. આદિવાસીઓના બંધારણીય અધિકારોનું રક્ષણ આ રાજય સરકાર કરી રહી છે.

સાંસદ પરભુભાઇ વસાવાએ વિશ્વ આદિવાસી દિવસ અવસરે શુભકામના પાઠવી આદિવાસીઓના ગૌરવવંતા ઇતિહાસનો ચિતાર રજૂ કરી, આદિવાસી ક્ષેત્રનો વિકાસ અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.

વિશ્વ આદિવાસી દિવસ ઊજવણી અવસરે માજી સાંસદ બાલકૃષ્ણર શુકલા, માજી મંત્રી કાંતિભાઇ ગામીત, માજી ધારાસભ્યઊ પરેશભાઇ વસાવા, માજી સંસદીય સચિવ શુભાષ પાડવી, સુમુલ ડેરીના વાઇસ ચેરેમેન રિતેશ વસાવા, સેનેટ મેમ્બસર જયરામભાઇ ગામીત, અધિકારીઓ સહિત આદિવાસી આગેવાનો, વિશાળ સંખ્યાનમાં આદિવાસી સમુદાય અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Next Story