અમદાવાદ : 15 લાખ રૂપિયાથી વધુની કિમંતોના વાહનો પર "વાહન વેરો" વધારાયો

ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા ભરાયેલું પગલું, 15 થી 24 લાખ રૂા.ના વાહનો પર 3.5 ટકા વાહન વેરો.

New Update

રાજયમાં ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં 15 લાખ રૂપિયાથી વધુ કિમંતના વાહનોની ખરીદી પર ભરવામાં આવતાં વાહનવેરાના દરમાં વધારો કરાયો છે. આ ઉપરાંત ઇલેકટ્રીક વાહન ખરીદનારને વાહનવેરામાંથી આજીવન છુટ આપવામાં આવશે.

અમદાવાદમાં 15 લાખ રૂપિયાથી વધારે કિમંતનું વાહન ખરીદનાર પર વાહનવેરાનું ભારણ વધશે. રૂપિયા 15 થી 24 લાખના વાહનોના વેરાનો દર 3.5 ટકા કરી નાખવા આવ્યો છે. રૂપિય 25 થી 49 લાખના વાહનો પર વેરાનો દર વધારી 4 ટકા કર્યો છે તો 50 લાખથી વધુના વાહનો પર 5 ટકા વેરાની વસૂલાત કરવામાં આવશે. એએમસીની રેવન્યુ કમિટીમાં લેવાયેલા આ નિર્ણયથી AMCને વાર્ષિક 10 કરોડની આવક થશે.

નવા વેરા અમલમાં આવી ગયાં બાદ 15 લાખથી વધુની કાર જો કોઈ અમદાવાદ થી ખરીદશે તો તેના ખિસ્સા પર વાહન વેરાના વધારાની અસર પડશે જે કારની કિંમત પર આધારિત હશે. અમદાવાદ શહેરમાં દર વર્ષે અંદાજે રૂ.15 થી 25 લાખ ની 1300 થી 1600 ગાડીઓ, રૂ.25 થી 50 લાખની ગાડીઓ 900થી 1100 અને રૂ.50 લાખથી વધુ 250થી 450 કેટલી ખરીદી થાય છે.

Read the Next Article

અમદાવાદ : પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારતા મોપેડ સવાર 2 યુવકોના મોત, પોલીસ તપાસ શરૂ...

મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલ  કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા

New Update
  • નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત

  • પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારી

  • મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા

  • ભંયકર અકસ્માત સર્જાતા 2 યુવકોના નીપજ્યાં છે મોત

  • ફરાર કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસ તપાસ શરૂ

અમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવકોના મોત નીપજ્યાં હતાજ્યારે ફરાર કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારઅમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણીBRTS બસ સ્ટેશન પાસે ગત તા. 10 ઓગસ્ટની મોડીરાતે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાંGJ-01-PX-9355 નંબરની મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલGJ-27-DM-9702 નંબરની કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા હતા.

ત્યારે ગંભીર ઇજાના મોપેડ પર સવાર અકરમ કુરેશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુંજ્યારે અશફાક અજમેરીને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં હતોજ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ગંભીર અકસ્માતમાં બન્ને યુવકના મોત નીપજ્યાં છેજ્યારે અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.