અમદાવાદ: 2 મહિનામાં TRB ના 700 જવાનો સસ્પેન્ડ, ભ્રષ્ટાચાર કારણભુત

CCTV કેમેરાની મદદથી પણ લાંચ લેતા અને કામના કલાકો દરમિયાન ગાયબ રહેતા જવાનો ની ઓળખ કરવામાં આવી હતી.

New Update

અમદાવાદમાં ટ્રાફિક નિયંત્રણ માટે નીમવામાં આવેલ ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડના 700 જેટલા જવાનોને અમદાવાદ શહેરના પોલીસ વિભાગ દ્વારા ભ્રષ્ટાચારના આરોપસર છૂટા કરી દેવાયા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક ના સંચાલનમાં ઢીલાશ વર્તાતી હોવાને કારણે ગંભીર અકસ્માત ના ઘણાં કિસ્સા સામે આવી રહ્યા છે. આ પોલીસકર્મીઓને લાંચ અને ગેરહાજરીના કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સાથે પોલીસે સંદેશો આપી દીધો છે કે, ડ્યુટી પર ગેરરીતિ, સહન કરવામાં આવશે નહીં.પોલીસ વિભાગ દ્વારા અન્ય 700 TRB ના જવાનો ની ભરતી કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી ટ્રાફિક પોલીસ ના મુખ્યાયલને મળેલ ફરિયાદો ને આધારે જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સિવાય શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા CCTV કેમેરાની મદદથી પણ લાંચ લેતા અને કામના કલાકો દરમિયાન ગાયબ રહેતા જવાનો ની ઓળખ કરવામાં આવી હતી.

સસ્પેન્ડ થયેલા જવાનો માંથી અમુકને એસજી હાઈવે, એક્સપ્રેસ હાઈવે, એસપી રિંગ રોડ, એરપોર્ટ સર્કલ, ઈન્દિરા બ્રિજ સર્કલ, નવા નરોડા વગેરે વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા હતા.અમદાવાદમાં ટ્રાફિક પોલીસે જ પોલીસ સામે તવાઈ બોલાવતા પોલીસે લખેલા બોર્ડ અને સ્ટીકર મારી ફરી રહ્યા હોવાનું સામે આવ્યું. જ્યારે સૌથી વધુ હેલ્મેટ ન પહેરી બ્લેક ફિલ્મ લગાવવાનો દંડ વસુલવામાં આવ્યો હતો.

છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક પોલીસ અલગ અલગ પ્રકારની ડ્રાઈવ કરી રહી છે. લોકો નિયમોનો ભંગ કરતા લોકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી કરાતી હોય છે. હેલ્મેટ વગરના 95 કેસ, લાયસન્સ વગરના 1 કેસ, Hsrp નંબર પ્લેટ વગરના 1 કેસ, પોલીસનું બોર્ડ મારી વાહન ચલાવવાના 18 કેસ, ડાર્ક ફિલમના 9 કેસ, નંબર પ્લેટ વગરના 1 કેસ, સીટ બેલ્ટ વગર ના 3 કેસ, કુલ 128 કેસ કરી 57,300 ના દંડની વસુલાત કરાઈ હતી

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.