અમદાવાદ: વૃદ્ધ દંપત્તિએ લગ્નજીવનની 51મી વર્ષગાંઠ નિમિત્તે વૃધ્ધાશ્રમને વાનનું કર્યું દાન
અમદાવાદના વૃદ્ધ દંપત્તિએ લગ્નજીવનની 51મી વર્ષગાંઠ નિમિત્તે જીવનધારા વૃધ્ધાશ્રમને અશકતાવાન અર્પણ કરી સેવાકાર્ય કર્યું હતું
BY Connect Gujarat Desk28 May 2023 11:53 AM GMT
X
Connect Gujarat Desk28 May 2023 11:53 AM GMT
અમદાવાદના વૃદ્ધ દંપત્તિએ લગ્નજીવનની 51મી વર્ષગાંઠ નિમિત્તે જીવનધારા વૃધ્ધાશ્રમને અશકતાવાન અર્પણ કરી સેવાકાર્ય કર્યું હતું
અમદાવાદના વૃદ્ધ દંપત્તિ જીતુભાઈ ખંભાતા અને ઉષાબહેન ખંભાતા દ્વારા તેમના લગ્ન જીવની 51મી વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.વૃદ્ધ દંપત્તિએ તેમના આ પ્રસંગને સેવા કાર્ય થકી ઉજવ્યો હતો. આ પ્રસંગે તેઓએ જીવનધારા વૃધ્ધાશ્રમને અશકતાવાન અર્પણ કરી હતી.આ વાનમા ઈમરજન્સી કીટ સાથે ઓકસિજન બોટલ અને બેડની સાથે જરુરી મેડિકલ કીટ પણ રાખવામા આવી છે.જીવનધારા વૃધ્ધાશ્રમમાં વસતા ૨૦૮ જેટલા વૃધ્ધોને આવનારા સમયમાં જ્યારે પણ આકસ્મિક સારવારની જરુર પડે ત્યારે આ વાન ખુબ જ ઉપયોગી નિવડશે
Next Story