Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ગુજરાતના વિકાસ માટે સરકારી ખજાનો ખુલ્લો મુકાયો, આટલા કરોડની ફાળવણી કરાઇ

અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના આઉટ ગ્રોથ એરિયામાં 81 જેટલા રસ્તા, પેવર બ્લોક, ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની પાઇપલાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન સહિતના કામ માટે 110 કરોડની ફાળવણી કરવામાં આવી છે

અમદાવાદ : ગુજરાતના વિકાસ માટે સરકારી ખજાનો ખુલ્લો મુકાયો, આટલા કરોડની ફાળવણી કરાઇ
X

અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના આઉટ ગ્રોથ એરિયામાં 81 જેટલા રસ્તા, પેવર બ્લોક, ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની પાઇપલાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન સહિતના કામ માટે 110 કરોડની ફાળવણી કરવામાં આવી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગર-નગરોમાં વિવિધ વિકાસ કામો તથા આઉટ ગ્રોથ વિસ્તારના કામો માટે ગ્રાન્ટ ફાળવવા નો આગવો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર માટે કુલ મળીને 253 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના આઉટગ્રોથ એરિયામાં 81 જેટલા રસ્તા, પેવર બ્લોક, ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની પાઇપલાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન તથા નવા હેલ્થ સેન્ટર માટે કુલ 110 કરોડ રૂપિયા ફાળવવા ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સહારા દરવાજા રીંગરોડ ફલાયઓવર બ્રીજ થી કરણી માતા ચોક સુધીના ફલાય ઓવરબ્રિજનું કામ માટે વધારાના 70 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. એટલું જ નહિ, વડોદરા મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારીનો કામો, જુદા જુદા સી.સી રોડ, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઈન તથા પાણીની પાઇપલાઇનના મળીને 1129 કામો માટે 63.53 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે આ ત્રણ મહાનગરો ઉપરાંત જામનગર મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે કુલ-9 રસ્તાના કામો માટે 9.16 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે.

Next Story