અમદાવાદના થલતેજ વિસ્તારની હોસ્પિટલમાં લાગી આગ

Update: 2019-07-30 12:48 GMT

અમદાવાદમાં એક બાદ એક આગ લાગવાના બનાવો બની રહ્યા છે. ત્યાં આજે થલતેજ પાર આવેલી સમર્પણ હોસ્પિટલમાં પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. ત્યારે ફાયર વિભાગના કર્મીઓ દ્વારા ભારે જહેમત બાદ આગને બુઝાવવામાં આવી હતી અને દર્દીઓને પણ બચાવવાં આવ્યા હતા.

અમદાવાદ શહેરમાં છાશવારે આગ લાગવાની ઘટના બની રહી છે. ત્યારે ગોતા બિલ્ડીંગમાં આગ લાગવાને હજુ થોડાક દિવસ બાદ જ શહેરના થલતેજ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે શહેરના પારસહિં વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી.આ આગની ઘટના બનતા આજુ બાજુ અને હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની ૧૬ જેટલી ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.આગના પગલે હોસ્પિટલમાં રહેલા દર્દીઓને પણ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.. જોકે ફાયર વિભાગના રિપોર્ટ મુજબ આગ વીજ મિટરમાં ખામી સર્જન લીધે આગ લાગવાની ઘટના બની હતી.

Tags:    

Similar News