અંકલેશ્વર: બાકરોલ ગામમાં વર્ષો બાદ આવ્યો ખુશીનો “માર્ગ”, જુઓ શું થયું

Update: 2021-01-18 10:21 GMT

અંકલેશ્વર તાલુકાનાં બાકરોલ ગામે રાજીના સહકાર પ્રધાન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના પ્રયાસોથી નિર્માણ પામેલ માર્ગનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલ બાકરોલ ગામના રામ નગરમાં વર્ષોથી માર્ગ ન હોવાના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ અંગે ગ્રામજનો દ્વારા રાજયના સહકાર પ્રધાન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરવામાં આવતા તેઓના પ્રયાસોથી ગામના રામનગરમાં માર્ગનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આજરોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો જેમાં ગામના સરપંચ ઉર્મિલાબહેન તેમજ તલાટી અને ગ્રામજનોની હાજરીમાં માર્ગનું લોકાર્પણ કરાયું હતું. ગ્રામજનોની વર્ષો જૂની માંગ સંતોષાતા તેઓએ સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

Tags:    

Similar News