કચ્છના ભચાઉ તાલુકાના નંદગામ પાસે આવેલી ઓસવાલ કંપનીમા મોડી રાત્રે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. સાત થી આઠ એકરમાં ફેલાયેલી પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.
ભચાઉ તાલુકાના નંદગામ પાસે આવેલી ઓસવાલ કંપનીમાં આગની ઘટનાથી દોડધામ મચી હતી. આગને કાબુમાં લેવા ભચાઉ,ગાંધીધામ,કંડલા અને અંજાર સહિતના સ્થળોથી ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતાં મોડી રાત્રે લાગેલી આગ આજે સવારે કાબુમાં આવી હતી. પ્લાસ્ટિક પેદાશો બનાવતી ઓસવાલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા કરોડોનું નુકશાન થયું છે. કંપનીનો સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.આગના ધુમાડા દૂર સુધી ઉડતા આસપાસની કંપનીઓ અને સ્થાનિકોમાં પણ ઉચાટ ફેલાયો હતો.