ભરૂચ: હાંસોટ ખાતે ખેતરના રસ્તામાંથી પસાર થવા બાબતે યુવકનુ મોત, જુઓ કેવી રીતે.
ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે રસ્તામાંથી
પસાર થતા યુવકને માર મારતા તેનુ મોત નીપજ્યું. હાંસોટ પોલીસે આરોપી વિરુદ્ધ
હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના હાંસોટની રામનગર ખારવાવાડમાં રહેતા 30 વર્ષીય યોગેશ ઠાકોર
મિસ્ત્રીને નજીવી બાબતે માર મારતા તેનુ મોત નીપજ્યું છે. યોગેશ વેરાઇ માતાના મંદિર
પાછળથી પસાર થઈ રહ્યો હતો તે વેળા સલીમ નામના શખ્સે
યોગેશને અટકાવી મારા ખેતરના રસ્તા પરથી કેમ પસાર થાય છે એમ કહીને માર માર્યો. યોગેશને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે
અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવતા તબીબોએ મૃત જાહેર કર્યો.
હાંસોટ પોલીસે સલીમ નામના શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો
નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.