અંકલેશ્વર : સફાઈ કામદાર મહિલાનું ફરજ દરમિયાન મોત, પાલિકા દ્વારા તેમના પુત્રને ફરજ પર રાખવા નિમણૂક કરાઈ

નગર પાલિકા કચેરીમાં કાયમી ધોરણે સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા નિર્મળાબેન જયેશ સોલંકીનું ચાલુ નોકરીમાં અવસાન થયું હતું

Update: 2022-08-03 10:20 GMT

અંકલેશ્વર નગર પાલિકામાં સફાઈ કામદાર મહિલાનું ફરજ દરમિયાન મૃત્યુ નીપજતા તેઓના પુત્રને વારસદાર તરીકે ફિક્સ પગારના સફાઈ કામદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અંકલેશ્વર નગર પાલિકા કચેરીમાં કાયમી ધોરણે સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા નિર્મળાબેન જયેશ સોલંકીનું ચાલુ નોકરીમાં અવસાન થયું હતું જે ખાલી પડેલ જગ્યા માટે મહિલા કર્મીનું વારસદાર તરીકે તેઓના પુત્ર અલ્પેશ સોલંકીને નગરપાલિકા દ્વારા ભરતી અને બઢતીના નિયમો અને જનરલ બોર્ડના ઠરાવ,ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ મુજબ અંકલેશ્વર નગર પાલિકાના આરોગ્ય વિભાગમાં નિમણૂક કરવામાં આવી છે.જેઓને પંડવાઈ સુગર ફેકટરી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ફિક્સ પગારથી નિમણુંક પત્ર આપવામાં આવ્યું હતું આ નિમણુંક પત્ર એનાયતના કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિનય વસાવા,ચીફ ઓફિસર કે.એમ.કોલડિયા,કારોબારી ચેરમેન સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News