અંકલેશ્વર: જયાબેન મોદી હોસ્પિટલમાં નિર્માણ પામશે ડોક્ટર્સ ક્વાટર્સ, ભૂમિપૂજન સમારોહ થયો સંપન્ન

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના તબીબો માટે ૩ કરોડના ખર્ચે બનનાર ડોક્ટર્સ હાઉસિંગ ક્વાટર્સનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું

Update: 2023-04-28 10:54 GMT

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના તબીબો માટે ૩ કરોડના ખર્ચે બનનાર ડોક્ટર્સ હાઉસિંગ ક્વાટર્સનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો રહેવા માટે મકાન ઉપલબ્ધ કરાવવાના હેતુથી આધુનિક ૧૬ જેટલા ડોક્ટર્સ હાઉસિંગ ક્વાટર્સનું ભૂમિ પૂજન ભરત મહેતા અને જય મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું આ ભૂમિ પૂજનના કાર્યક્રમમાં જે.બી.મોદી પરિવાર,ડી.બી.મોદી પરિવાર અને એસ.બી. મોદી પરિવાર તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિતના ટ્રસ્ટીઓ,મેડીકલ ઓફિસર ડો.આત્મી ડેલીવાલા સહીત સ્ટાફ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News