અંકલેશ્વર: બાકરોલ ગામના તળાવમાંથી બ્યુટીપાર્લરમાં કામ કરતી યુવતી અને પરણિત યુવાનનો મૃતદેહ મળ્યો,જુઓ પોલીસે શું કહ્યું

અંકલેશ્વરના બાકરોલ ગામના તળાવમાંથી યુવાન અને યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

Update: 2022-01-27 10:39 GMT

અંકલેશ્વરના બાકરોલ ગામના તળાવમાંથી યુવાન અને યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

વાલિયા તાલુકાનાં કોંઢ ગામને અડીને આવેલ માંગરોળ તાલુકાનાં બોરિદ્રા ગામના હરીજનવાસમાં રહેતી 19 વર્ષીય યુવતી મહિમા ગોહિલ કોસમડી ગામ નજીક વાલિયા રોડ ઉપર આવેલ રુદ્રાક્ષ રેસિડેન્સી પાસે બ્યુટીપાર્લરમાં નોકરી કરે છે ગત તારીખ-24મી જાન્યુઆરીના રોજ બ્યુટીપાર્લરના માલિકને મળેલ ઓર્ડરના કામે જવાનું કહી યુવતી ગુમ થઈ ગઈ હતી

જે યુવતી અને યુવાનનો મૃતદેહ અંકલેશ્વરના બાકરોલ ગામના તળાવમાંથી બાંધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો બનાવ અંગેની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બંનેના મૃતદેહને તળાવમાંથીબહાર કાઢી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયા હતા અને અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જાણવા મળતી વિગતો અનુસાર યુવક પરણિત હતો અને 3 સંતાનોનો પિતા છે ત્યારે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

Tags:    

Similar News