ભરૂચ: હાંસોટ ગુજરાતી કુમાર શાળા ખાતે આયુર્વેદિક કેમ્પ યોજાયો,600 દર્દીઓએ લીધો લાભ
ભરૂચના હાંસોટ ગુજરાતી કુમાર શાળા ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 600 દર્દીઓએ લાભ લીધો હતો
ભરૂચના હાંસોટ ગુજરાતી કુમાર શાળા ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 600 દર્દીઓએ લાભ લીધો હતો.
ભરૂચના હાંસોટની ગુજરાતી કુમાર શાળા ખાતે સીસોદરા, કુડાદરા તથા કતપોર સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો 600 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં વૈધ ગૌતમભાઈ, ડો, નરેશભાઈ અને ડો, પ્રવીણભાઈએ સેવા આપી હતી અને દર્દીઓનું તબીબી પરીક્ષણ કર્યું હતું અને દર્દીઓને વિનામૂલ્યે દવાઓ વિતરણ કરવામાં આવ્યું હતું.