રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથુ ઉંચક્યું, રાજ્યમાં આજે 575 નવા પોઝિટિવ કેસ નોંધાયા

Update: 2021-03-07 16:47 GMT

રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથુ ઉંચક્યુંછે. રાજ્યમાં આજે કોરોનાના 575 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 459 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4415 લોકોના કોરોનાથી મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધી 265831 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.24 ટકા પર પહોંચ્યો છે. હાલ 3140 એક્ટિવ કેસ છે, જેમાંથી 46 લોકો વેન્ટિલેટર પર અને 3094 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 575 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 127, સુરત કોર્પોરેશન 125, વડોદરા કોર્પોરેશનમાં 70, રાજકોટ કોર્પોરેશન 58, સુરત-20, ભાવનગર કોર્પોરેશન 15, આણંદ 14, રાજકોટ 13, વડોદરા-12, મહેસાણા 11, કચ્છ-10, ખેડા 9, દાહોદ, જામનગર કોર્પોરેશન અને સાબરકાંઠામાં 8-8 કેસ નોંધાયા છે.

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 14,09,244 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 3,41,437 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 45,974 લોકોને રસી આપવામાં આવી છે.

Tags:    

Similar News