ભરૂચ: નવરાત્રીની આઠમ નિમિત્તે અંકલેશ્વરના બાકરોલ ગામ ખાતે આવેલ મંદિરમાં એકચંડી યજ્ઞ યોજાયો

Update: 2021-10-13 14:06 GMT

આજરોજ આસો નવરાત્રીની આઠમ નિમિત્તે અંકલેશ્વરના બાકરોલ ગામ ખાતે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે એકચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રી તેના અંતિમ ચરણમાં છે ત્યારે આજ રોજ ઠેર ઠેર આઠમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વરના બાકરોલ ગામ ખાતે આવેલ પંચમુખી હનુમાન મંદિરે આઠમ નિમિતે એકચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની આરાધના કરવામાં આવી હતી.યજ્ઞમાં યજમાન પદે પારિક પરિવારના સભ્યોએ માતાજીની આરાધનાનો લાભ લીધો હતો

Tags:    

Similar News