અમરેલી : દંપત્તિ પર અજાણ્યા શખ્સોનો હુમલો થતાં પત્નીનું મોત, લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનું અનુમાન

અમરેલી જિલ્લાના ખાંભા-ગીર પંથકના સમઢીયાળામાં અજાણ્યા શખ્સો દ્વારા દંપત્તિ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.

Update: 2022-07-21 09:59 GMT

અમરેલી જિલ્લાના ખાંભા-ગીર પંથકના સમઢીયાળામાં અજાણ્યા શખ્સો દ્વારા દંપત્તિ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં મહિલાનું ગંભીર ઇજાના પાગલે મોત નિપજતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, અમરેલીના ખાંભા-ગીર પંથકમાં આવેલ સમઢીયાળા ખાતે રાત્રિના સમયે દંપત્તિ પરિવાર પોતાના મકાનના સૂતો હતો. તે દરમ્યાન અજાણ્યા શખ્સોએ દંપત્તિ ઉપર પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટનામાં 57 વર્ષીય કમળાબેન શેલડીયાને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 59 વર્ષીય હરજીભાઈ શેલડીયાને પાઇપના સપાટા વાગતા ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા હરજી શેલડીયાને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમઢીયાળા ગામે થયેલ હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે હાલ તો રાત્રીના સમયે ચોરી કે, લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે.

Tags:    

Similar News