સાબરકાંઠા: હિંમતનગર ખાતે સી.એમ.ભુપેન્દ્ર પટેલે ઉમિયા માતાના કર્યા દર્શન,સ્નેહ મિલન સમારોહમાં પણ આપી હાજરી
સાબરકાંઠા જિલ્લાની પ્રથમવાર મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલેમા ઉમિયાના દર્શન કરી પૂજા અર્ચન કર્યા હતા
સાબરકાંઠા જિલ્લાની પ્રથમવાર મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલેમા ઉમિયાના દર્શન કરી પૂજા અર્ચન કર્યા હતા. જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે સુપ્રસિદ્ધ ઉમિયા માતાના મંદિરે મુખ્ય મંત્રીએ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી મા ઉમિયાના આશીર્વાદ મેળવ્યા હતા.મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લાના અગ્રણીઓ દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, શહેર અગ્રણી જે.ડી. પટેલ, સહકારી અગ્રણી જેઠાભાઇ પટેલ, ડો.ચીમનભાઇ પટેલ,ધીરુભાઇ પટેલ, ગીરધરભાઇ પટેલ તેમજ મોટી સંખ્યામાં નાગરીકોએ ઉપસ્થિત રહી મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું.