આયર્લેન્ડ પ્રવાસ માટે BCCIએ ટીમની કરી જાહેરાત, ટીમની કમાન જસપ્રીત બુમરાહને સોંપાઈ

Update: 2023-08-01 05:06 GMT

આયર્લેન્ડ પ્રવાસ માટે BCCIએ ટીમની જાહેરાત કરી છે, જેમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું ટીમ ઈન્ડિયામાં કમબેક થયું છે અને જસપ્રીત બુમરાહને આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

અજીત અગરકરની આગેવાની હેઠળની BCCIની વરિષ્ઠ પસંદગી સમિતિએ ઓગસ્ટમાં યોજાનાર આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતની T20 ટીમની જાહેરાત કરી છે. આ ટીમની કમાન ઈજામાંથી પરત ફરેલા જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને સોંપવામાં આવી છે. ઈજામાંથી પરત ફરેલા પ્રખ્યાત કૃષ્ણાને પણ આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એશિયન ગેમ્સ માટે ભારતના કેપ્ટન તરીકે નિયુક્ત ઋતુરાજ ગાયકવાડને આ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટ કીપર), જીતેશ શર્મા (વિકેટ કીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, ફેમસ ક્રિષ્ના, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અવેશ ખાન

Tags:    

Similar News