T20 વર્લ્ડ કપ અને IPLની બાકીની મેચ હવે UAEમાં રમાશે, BCCIનો નિર્ણય

Update: 2021-06-28 11:18 GMT

ભારતમાં કોરોના મહામારીના જોખમને જોતા T-20 વર્લ્ડ કપ 2021ને UAEમાં શિફ્ટ કરાયો છે. આ અંગે BCCIએ આજની બેઠકમાં નિર્ણય લીધો હતો. આગામી દિવસોમાં વર્લ્ડકપનું શેડ્યૂલ ICC દ્વારા જાહેર કરવામાં આવશે. આ વર્લ્ડ કપ પણ કોરોના ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે રમાશે.

તો બીજી તરફ આઈ.પી.એલ.અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે જણાવ્યુ હતું કે ભારતીય ક્રિકેટ બોર્ડએ શનિવારે સંયુક્ત આરબ અમીરાત (યુ.એ.ઇ.)માં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 સીઝનની બાકીની મેચોને આ વર્ષે સપ્ટેમ્બર-ઓકટોબર મહિનામાં ભારતમાં ચોમાસાની સિઝનને ધ્યાનમાં યોજવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય વર્ચ્યુઅલ રીતે યોજાયેલી વિશેષ સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો, જેમાં સભ્યો સર્વસંમતિથી આઈપીએલ ફરી શરૂ કરવા સંમત થયા હતા.

Tags:    

Similar News