સુરત : સચિન ગેસકાંડ મામલે અંકલેશ્વરની કેમી ઓર્ગેનિક કંપનીના MD સહિત 3 લોકોની ધરપકડ

ઝેરી કેમિકલનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના કેસમાં સુરત SOG પોલીસે અંકલેશ્વરની કેમી ઓર્ગેનિક કંપનીના MD સહિત 3 લોકોની ધરપકડ કરી છે.

Update: 2022-02-08 06:23 GMT

સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલખાડીમાં ઝેરી કેમિકલનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના કેસમાં સુરત SOG પોલીસે અંકલેશ્વરની કેમી ઓર્ગેનિક કંપનીના MD સહિત 3 લોકોની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના સચીન વિસ્તારની ખાડીમાં ઝેરી કેમિકલનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવ્યો હતો, ત્યારે ઝેરી ગેસની અસરથી 6 શ્રમિકોના મોત નીપજ્યાં હતા. ગેસકાંડ મામલે સુરત પોલીસ દ્વારા આ ગુન્હાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસને અંકલેશ્વરની કેમી ઓર્ગેનિક કંપનીની ભૂમિકા જણાય આવી હતી. તે કંપનીએ પણ પોતાનું હેઝાર્ડસ વેસ્ટ સંગમ એન્વાયરોમેન્ટ કંપની મારફત સચીન પાસે ઉનની ખાડીમાં જ ઠાલવ્યું હતું. સમગ્ર મામલે સુરત પોલીસે અંકલેશ્વરની કેમી ઓર્ગેનિક કંપનીના મુંબઈ ખાતે રહેતા MD મયંક શાહ, વિરાર ખાતે રહેતા કર્મચારી યશવંત ભોગલે અને અંકલેશ્વરના વિરલ પંચાલની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ પકડમાં આવેલા આરોપીઓએ જણાવ્યુ હતું કે, તેઓએ સોડિયમ સલ્ફાઈડ, વેસ્ટ સોડિયમ અને સલ્ફેક્ટ કેમિકલનો ઉનમાં તિરૂપતિ બાલાજી સોસાયટીની પાછળ આવેલ ખાડીમાં નિકાલ કર્યો હતો.

Tags:    

Similar News