અમરનાથમાં હાર્ટ-એટેકથી વડોદરાના યુવકનું મૃત્યુ, જુવાનજોધના અણધાર્યા મોતથી દરેકની આંખો છલકાઈ...

જુવાનજોધ યુવાનનું મોત થતાં દરેક લોકોની આંખમાં આંસુ હતાં. મૃતક ગણેશ કદમનો મૃતદેહ ઘરે આવતા જ પત્નીના હૈયાફાટ રુદન સાથે આખો કદમ પરિવાર શોકમગ્ન બની ગયો

Update: 2023-07-18 12:59 GMT

અમરનાથ યાત્રામાં હાર્ટ-એટેકથી મૃત્યુ પામેલા વડોદરાનો યુવાન ગણેશ કદમના મૃતદેહને શ્રીનગરથી કાર્ગો મારફત અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જ્યાંથી એમ્બ્યુલન્સમાં મૃતદેહને વડોદરા લાવવામાં આવ્યો હતો. યુવાનનો મૃતદેહ ઘરે પહોંચતા જ પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. ઘરે વિધિ પૂર્ણ કર્યા બાદ અંતિમયાત્રા કાઢીને ખાસવાડી સ્મશાન ખાતે યુવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

વડોદરાના ફતેપુરા સ્થિત પીતાંબર ફળિયામાં જ્યારે યુવાનનું મૃતદેહને લાવવામાં આવ્યો, ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો પહોંચ્યા હતા. ફળિયામાં જુવાનજોધ યુવાનનું મોત થતાં દરેક લોકોની આંખમાં આંસુ હતાં. મૃતક ગણેશ કદમનો મૃતદેહ ઘરે આવતા જ પત્નીના હૈયાફાટ રુદન સાથે આખો કદમ પરિવાર શોકમગ્ન બની ગયો હતો. આજે સવારે 10 વાગ્યે પોસ્ટમોર્ટમ થયા બાદ તેમના મૃતદેહને શ્રીનગરથી વિમાન માર્ગે અમદાવાદ અને ત્યાંથી વડોદરા ખાતે લાવવામાં આવશે. અમરનાથની યાત્રામાં મૃત્યુ પામેલા 32 વર્ષે યુવાનને પરિવારમાં ટ્વિન્સ પુત્ર અને પુત્રી છે. બંને પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે.

Tags:    

Similar News