વલસાડ : ટ્રકના ડ્રાયવરને આવ્યું ઝોકું, ડીવાઇડર કુદાવી ટ્રક બસ સાથે અથડાઈ, 20 લોકો ઘાયલ

Update: 2020-11-02 08:09 GMT

વલસાડ નજીક નંદાવલા હાઇવે પર અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જે પૈકી ટ્રક અને બસના ડ્રાઈવરની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સોમવારે વહેલી સવારે અમદાવાદથી બી.આર. સર્વિસ નામની ટ્રાવેલ્સની બસ બેંગલોર તરફ જઈ રહી હતી. દરમિયાન વલસાડ નજીક ગુંદલાવ ચોકડીથી પસાર થતા સમયે મુંબઈ તરફથી આઈશર ટ્રક પૂરપાટ ઝડપે આવી રહી હતી. ટ્રકના ડ્રાઈવરને અચાનક ઝોકું આવી જતાં ટ્રક ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં સામેથી આવતી ખાનગી બસ સાથે અથડાઈ હતી, જેને પગલે બસ અને ટ્રકમાં સવાર 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

આમાં બસ અને ટ્રકના ડ્રાઈવરની હાલત ગંભીર છે. આસપાસના ગામના સ્થાનિક લોકો અને પોલીસ દોડી આવી હતી. ટ્રક અને બસમાં ફસાયેલા બંને ડ્રાઈવરને બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ 108ની મદદથી તમામ ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા પોતાની રિક્ષામાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ટ્રક અને બસના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જ્યારે ટ્રક અકસ્માત બાદ પલટી મારી ગઈ હતી.

Tags:    

Similar News