ભરૂચ : પત્નીના પ્રેમીની હત્યા કરવા નીકળ્યો પતિ, પણ જુઓ કેવું આવ્યું પરિણામ

Update: 2020-09-09 08:08 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામના નાળા પાસે જીપ અને બાઇક વચ્ચેે થયેલા અકસ્માતમાં વૃધ્ધાનું મોત થયું હતું. રાજપારડી પોલીસની તપાસમાં બાઇક સવારની હત્યા કરવા માટે જાણીજોઇને અકસ્માત કરવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવતાં આરોપી જીપચાલકની ધરપકડ કરવામાં આવી છે.

સરસાડ ગામના દિનેશ વસાવા તેમની પુત્રી દેવીકા અને માતા વનિતાબેન સાથે 4 જુલાઇના રોજ સરસાડથી રાજપારડી બાઇક લઇને આવ્યાં હતાં. તેઓ રાજપારડીથી કામ પતાવી પર સરસાડ આવી રહયાં હતાં ત્યારે અશોક ઉર્ફે વિષ્ણુ વસાવાએ તેની જીપ પુરઝડપે હંકારી તેઓની બાઇકને ટકકર મારી હતી. આ અકસ્માતમાં બાઇકની પાછળ બેઠેલા વનિતાબેનનું માથુ ધડથી અલગ થઇ જતાં તેમનું મૃત્યુ થયું હતું. જયારે દિનેશ અને તેની પુત્રીને ઇજા પહોંચી હતી. આ બનાવની તપાસ પીએસઆઇ જયદિપસિંહ જાદવે શરૂ કરી હતી. જેમાં દિનેશ વસાવા અને વિષ્ણુ વસાવાની પત્ની વચ્ચે પ્રેમ સંબધ હતો જેના કારણે વિષ્ણુ દિનેશની હત્યા કરવા માંગતો હતો. તેણે દિનેશને બાઇક લઇને જતાં જોઇ લેતાં જીપ લઇ તેમનો પીછો કર્યો હતો. રાજપારડીમાં તેઓ ન મળી આવતાં તે સારસા  ગામના નાળા પાસે રાહ જોઇને ઉભો રહયો હતો અને દિનેશ વસાવા બાઇક લઇને આવ્યો ત્યારે જીપથી બાઇકને ટકકર મારી હતી. જેમાં વનિતાબેનનું મૃત્યું થયું હતું.વત્તી ઇજાઓ થયેલ હતી. પોલીસે આરોપી અશોક  ઉર્ફે વિષ્ણુ જિતુભાઈ વસાવા નાઓને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તે ભાંગી પડેલો અને ગુનાની કબુલાત કરી લીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News