Connect Gujarat
Featured

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલના સ્ટાફને અપાઈ આગને કાબુમાં લેવાની વિશેષ તાલીમ

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલના સ્ટાફને અપાઈ આગને કાબુમાં લેવાની વિશેષ તાલીમ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આગ લાગવાની ઘટના સમયે કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ તે માટે હોસ્પિટલ સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં કોરોના મહામારી દરમ્યાન દર્દીઓને કોરોનાની સારવાર આપતી કેટલીક હોસ્પિટલોમાં ભીષણ આગ લાગવાની ઘટનાઓ સર્જાઈ હતી. જેમાં કેટલાક લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે, ત્યારે રાજ્યભરની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સમયે કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ તે માટે ગુજરાત સરકાર દ્વારા હોસ્પિટલ સ્ટાફને ખાસ તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે માર્ગદર્શકો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આગ લાગે તે સમયે કેવી પદ્ધતિથી આગ ઉપર કાબુ મેળવવો અને કોઈ જાનહાનિ થાય તો કેવી સારવાર આપવી જેવી વિવિધ બાબતોમાં હોસ્પિટલ સ્ટાફને માહિતી અપાઈ હતી. માર્ગદર્શક તાલીમ દરમ્યાન જયાબેન મોદી હોસ્પિટલનો સ્ટાફ તેમજ એજન્સીના માર્ગદર્શકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story