Connect Gujarat
ગુજરાત

અંક્લેશ્વર: નવજીવન હોટલ પાસે લુંટ કરી ભાગી ગયેલ ૪ આરોપી ઝડપાયા

અંક્લેશ્વર: નવજીવન હોટલ પાસે લુંટ કરી ભાગી ગયેલ ૪ આરોપી ઝડપાયા
X

અંક્લેશ્વર શહેર પો. સ્ટેશનમાં ગત ૧૫/૨/૨૦૧૯ ના રોજ ટ્રકમાં બેસી સુરતથી ભાવનગર જવા માટે નીકળેલા ઇસમને અંક્લેશ્વર નવજીવન હોટલ પાસેથી ને. હા. નંબર ૪૮ ઉપર થી કોઇ અજાણ્યા ઇસમોએ પોતાની સ્કુટી જેવી ગાડીમા બેસાડી રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં ઇસમ પાસે રહેલ રોકડા રૂપિયા ૨૭૦૦/- ખીસ્સામાંથી લઇ લુંટ કરી ભાગી છુટયા હતાં.

જેની નિલેશભાઇ ભરતભાઇ પરમાર, ઉવ. ૨૪, રહે. હાલ વરાછા, મારૂતિ ચોક, સુરત મુળ રહે. માઢીયા, તા. વલભીપુર, જી. ભાવનગરનાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે અજાણ્યા ચાર ઈસમો વિરૂધ્ધ લૂંટની ફરીયાદ આપી હતી.

આ ગુનાની તપાસ દરમ્યાન આ કામે આરોપીઓ (૧) જેનીશભાઇ ઉર્ફે બાટલી નરેશભાઇ મોદી, ઉવ. ર૭, રહે. એચ/પ, મોદી નગર, હાંસોટ રોડ, અંકલેશ્વર શહેર, જી. ભરૂચ, (૨) સંજયભાઇ ઉર્ફે સંજવુ ગોવિંદલાલ ગંગવાની, ઉવ. ૧૯, રહે. હાલ રામકુંડ સ્મશાન પાસે, અંકલેશ્વર શહેર, જી. ભરૂચ, મુળ રહે. સેન્ટ્રલ આર.ટી. નગર, કીષ્ણાઅપ્પા, એમ.એલ.એ સોસાયટી, થાના આર.ટી. નગર, ગીરીરાજા અન્નાના મકાનમાં ભાડેથી, બેંગ્લોર શહેર, કર્ણાટક(૩) અંકિતભાઇ ઉમેશભાઇ રામ, ઉવ. ૨૦, રહે. રામકુંડ રોડ, વણકર વાસ, અંકલેશ્વર શહેર, જી. ભરૂચ તથા (૪) ફૈજ એહમદ રાસીદ મલેક, ઉવ. ર૭, રહે. ભાટવાડ, ગોયા બજાર રોડ, ઇશાક પીર દરગાહની સામે, અંકલેશ્વર શહેર, જી. ભરૂચને તા.૧૬/૨/૨૦૧૯ના રોજ અટક કરવામા આવ્યા હતા. હાલમાં તો અંકલેશ્વર શહેર પોલીસે ફરીયાદી નીલેશ પરમારને બોલાવી ઝડપાયેલ ચારેવ આરોપીની ઓળખ પરેડ કરાવી તેમના રિમાંડ મેળવવા કવાયત હાથ ધરી છે.

Next Story