Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ નીલગાય કેનાલમાં ખાબકી, રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયી

અંકલેશ્વરઃ નીલગાય કેનાલમાં ખાબકી, રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયી
X

જીવદયા પ્રેમી, વનવિભાગ અને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું

અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલા ધંતુરિયા-મોઠીયા ગામ નજીકથી પસાર થતી પાણીની કેનાલમાં આજરોજ એક નીલગાય પડી ગઈ હતી. જેની જાણ સ્થાનિક રહીશોને થતાં સુનિલ વસાવાએ જીવદયા પ્રેમી સુનિલ પરમારનો સંપર્ક કર્યો હતો. તેમણે વન વિભાગનો સંપર્ક કરતાં સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

કેનાલમાં અનાયાસે પડી ગયેલી નીલગાયને બચાવવા માટે દોડી આવેલી વન વિભાગની ટીમનાં પીએ પટેલ સાથે અન્ય જીવદયાપ્રેમી સુનિલ પરમાર, દેવશી પટેલ અને કિરણ પટેલ સહિતનાઓએ આ ગાયને કેનાલનાં પાણીમાંથી બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સદનશીબે નીલ ગાય પાણીમાં ખાબકી હોવાથી અન્ય કોઈ ઈજા ન થતાં તેને બાદમાં સલામત સ્થળે છોડી મૂકવામાં આવી હતી.

Next Story