Connect Gujarat
Featured

અંકલેશ્વર : સુરત મનપાના આરોગ્ય કર્મચારી સહિત બે લોકોએ કર્યા આપઘાત

અંકલેશ્વર : સુરત મનપાના આરોગ્ય કર્મચારી સહિત બે લોકોએ કર્યા આપઘાત
X

રાજયમાં સામુહિક આપઘાતની સાથે આત્મહત્યાના બનાવો વધી રહયાં છે. અંકલેશ્વર તાલુકામાં બે લોકોએ અકાળે પોતાની જીવાદોરી ટુંકાવી લીધી છે.

અંકલેશ્વરમાં આત્મહત્યાના બે અલગ અલગ બનાવો બન્યાં છે. અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ખાતે રહેતા ભીમા વસાવાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધાં હતાં. બનાવ સંદર્ભમાં મૃતકની પત્ની પુનમે તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય બનાવની વાત કરવામાં આવે તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્ય ખાતામાં નોકરી કરતા વિનોદ ખેતરીયાએ અગમ્ય કારણસર અંકલેશ્વર વાલિયા ચોકડી બસ સ્ટેન્ડ નજીક આવેલ એક ખાનગી હોટલમાં ઝેરી દવા પી લઇ જીવાદોરી ટુંકાવી લીધી છે. હોટેલ સંચાલકે શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો હોટલ ખાતે દોડી આવ્યો હતો. વિનોદ ખેતરીયાના પરિવારને ઘટનાને જાણ થતાં તેઓ શોકમાં ગરકાવ થઇ ગયાં છે.

Next Story