/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/10215151/77453657-780x470-1.jpg)
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના 1056 નવા પોઝીટીવ કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 22 દર્દીઓના મોત થયા છે.આ સાથે કુલ મૃત્યુઆંક 2674 પર પહોંચ્યો છે.જ્યારે કુલ સંક્રમિત કેસની સંખ્યા 72,120 પર પહોંચી છે. રાજ્યમાં આજે કુલ 1138 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં આજે 1056 નવા નોંધાયેલા પૈકી અમદાવાદ-144, સુરત-236, વડોદરા-108, ગાંધીનગર-26, ભાવનગર-48, બનાસકાંઠા-8, આણંદ-2, રાજકોટ-96, અરવલ્લી-1, મહેસાણા-19, પંચમહાલ-18, બોટાદ-3, મહીસાગર-9, ખેડા-15, પાટણ-13, જામનગર-31, ભરૂચ-20, સાબરકાંઠા-8, ગીર સોમનાથ-29,દાહોદ-14,છોટા ઉદેપુર-2,કચ્છ-32, નર્મદા- 11,દેવભૂમિ દ્વારકા -5 ,વલસાડ-18, નવસારી-9, જૂનાગઢ-18, પોરબંદર-25, સુરેન્દ્રનગર-20, મોરબી-25, તાપી-1, અમરેલી-42 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓના મોત થયા છે. જે પૈકી અમદાવાદમાં 4, સુરતમાં 8, વડોદરામાં 2, અમરેલીમાં 1, ભાવનગરમાં 1, મહેસાણામાં 1, પોરબંદરમાં 1, રાજકોટમાં 1, તાપીમાં 1 નું મોત થયું છે.
રાજ્યમાં હાલ 14,170 એક્ટિવ કેસ છે. જ્યારે 55,276 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 76 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,094 લોકો સ્ટેબલ છે. આજે 29,604 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 10,17,234 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,95,241 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,96,644 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1597 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.