ભરૂચ : ઝગડીયા તાલુકાના ખાલક ગામની વૃધ્ધાને વીજ કરંટ લાગતા મોત
BY Connect Gujarat17 Aug 2020 10:50 AM GMT
X
Connect Gujarat17 Aug 2020 10:50 AM GMT
ઝગડીયા તાલુકાના ખાલક ગામની મહિલાને વીજ કરંટ લાગતા મોત નીપજવાની ઘટના સામે આવી છે, 65 વર્ષીય વૃધ્ધા બળધોને બાંધી રહી હતી, ત્યારે તેઓનો હાથ અરથિંગના વાયરોને અડી જતાં તેઓને કરંટ લાગતા મોત નીપજયું હતું.
ઉમલ્લા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ઘરના લોકો ઢોરો ચરાવા ગયેલા ત્યાંથી પાછા આવેલા ત્યારે પુંજીબેન વસાવા અને ખાનસીંગભાઇ વસાવાના ઓ ઢોરોને ખીલે બાંધતા હતા તે વખતે ઘર નજીક આવેલ ઇલેકટ્રીક લાઇટના થાંભલા પાસેના અરથિંગના તારને અડી જતા પુંજીબેન જમીન પર પડી ગયા હતા તે વખતે ખાનસીંગભાઇએ બુમો પાડતા બધા ઘરની બહાર દોડી આવ્યા હતા. પૂંજીબેનને ઉમલ્લા સરકારી દવાખાના માં સારવાર માટે લઇ ગયા હતા પણ સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
Next Story