Connect Gujarat
Featured

ભરૂચ : જુની માર્કેટ વેપારી એસોસીએશને કેમ આપી આંદોલનની ચીમકી, તમે પણ જુઓ

ભરૂચ :  જુની માર્કેટ વેપારી એસોસીએશને કેમ આપી આંદોલનની ચીમકી, તમે પણ જુઓ
X

ભરૂચનાં ફાટાતળાવથી દત્ત મંદિર સુધીનાં બિસ્માર માર્ગની કામગીરી નહીં થાય તો વેપારીઓએ આંદોલન કરવાની ચીમકી આપી છે.

ભરૂચ શહેરના ફાટાતળાવથી લઈ દત્ત મંદિર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોઇ આ માર્ગનું નવીનીકરણ કરવા વેપારી એસોશિએશનનાં પ્રમુખ સહિતનાં લોકોની માંગણી છે. આ માર્ગ પરથી રોજના હજારો વાહનો અને રાહદારીઓ પસાર થાય છે.

ભરૂચનાં ફાટાતળાવથી દત્ત મંદિર સુધીનાં માર્ગ બનાવવા માટે પાલિકાએ બાંહેધરી આપી છે પણ હજી સુધી આ માર્ગની કામગીરી શરૂ ન થતાં અતિ ગંભીર પરિસ્થિતી બની છે. વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાનાં અધિકારીઓ દ્વારા ફકત આશ્વાસન જ આપવામાંઆ વે છે. કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. દિવાળી સુધીમાં જો આ રસ્તાનું કામ શરૂ કરવામાં નહીં આવે તો વેપારીઓ દ્વારા રસ્તો બ્લોક કરી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

Next Story