ભરૂચ જંબુસર ચોકડી પરના બિસ્માર માર્ગોને મુદ્દે સ્થાનિકોએનો રસ્તા રોકો આંદોલન

New Update
ભરૂચ જંબુસર ચોકડી પરના બિસ્માર માર્ગોને મુદ્દે સ્થાનિકોએનો રસ્તા રોકો આંદોલન

ભરૂચની જંબુસર ચોકડી પર બિસ્માર માર્ગના પ્રશ્ને ફરી એકવાર સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરી નગર પાલિકા કચેરીએ હલ્લો મચાવ્યો હતો.

ભરૂચની જંબુસર ચોકડી પર માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે. જેના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આ અંગે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાનું કોઈ જ નિરાકરણ ન આવતા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો માર્ગ પર ઉતરી આવ્યા હતા અને રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ સ્થાનિકોએ નગર પાલિકા કચેરી ખાતે પણ હલ્લો મચાવ્યો હતો અને ચીફ ઓફિસર સંજય સોનીને ઉગ્ર રજૂઆત કરી હતી. ચીફ ઓફિસરે પ્રશ્નના નિરાકરણની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories