Connect Gujarat
સમાચાર

ભરૂચ : વટારીયા ગણેશ સુગરના પ્રમુખે સંદીપસિંહ માંગરોલાએ આપ્યું રાજીનામું, જાણો કેમ!

ભરૂચ : વટારીયા ગણેશ સુગરના પ્રમુખે સંદીપસિંહ માંગરોલાએ આપ્યું રાજીનામું, જાણો કેમ!
X

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાનાં વટારીયા સ્થિત ગણેશ સુગર ઉદ્યોગના પ્રમુખ સંદીપસિંહ માંગરોલાએ રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામું શા કારણે આપ્યું તે જણાવવા પત્રકાર પરિષદ યોજી હતી.

ભરૂચના ભોલાવ ખાતેના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી વટારીયા સુગરના પ્રમુખ સંદીપ માંગરોલાએ જણાવ્યુ હતું, કે સમયસર સહકારી બોર્ડની ચૂંટણી યોજવા માટે માર્ગ ખુલ્લો કરવા પોતે રાજીનામું આપ્યું છે. તેમણે છેલ્લા 12 વર્ષથી મળેલ સહકાર માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને સભાસદોનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, કેટલાક સ્થાપિત હિતો નથી ઇચ્છતા કે સમયસર ચૂંટણી યોજાઇ અને મુદત પૂરી થઈ જાય, તેથી મેં પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે આવનારી ચૂંટણીમાં ખેડૂત સહકારી પેનલ બનાવી સાથીદારો સાથે ચૂંટણી જંગમાં ઝંપ લાવવા જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, સભાસદોના હિતોનું રક્ષણ કરીશું.

Next Story