અંકલેશ્વર : માંડવા ટોલપ્લાઝા પરથી પશુઓની ગેરકાયદે હેરાફેરી કરતી ટ્રક સાથે 1 ઝબ્બે, રૂ. 3.82 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા ટોલ પ્લાઝા નજીકથી ટ્રકમાં 10 પશુઓને ક્રુરતાપૂર્વક લઈ જવાતા પોલીસે ઝડપી એક આરોપીની ધરપકડ કરી છે.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા ટોલ પ્લાઝા નજીકથી ટ્રકમાં 10 પશુઓને ક્રુરતાપૂર્વક લઈ જવાતા પોલીસે ઝડપી એક આરોપીની ધરપકડ કરી છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે ટ્રકમાં ગેરકાયદે પશુઓની થઈ હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. ટ્રકમાં ક્રુરતાપૂર્વક દોરડાંથી બાંધેલ 7 ભેંસ, 1 પાડો અને 2 બચ્ચા મળી પોલીસે રૂપિયા 82 હજારના પશુધનને બચાવી લીધું હતું. પશુ ક્રુરતા નિવારણ ધારા મુજબ હિંગલોટના ટ્રકચાલકની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પશુધન મોકલનાર ભરૂચના નાગોરીવાડમાં રહેતા ઇસમને વોન્ટેડ જાહેર કરી ટ્રક સહિત કુલ રૂપિયા 3.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment
Latest Stories