અંકલેશ્વર : સુરોના સમ્રાટોને શ્રધ્ધાજલિ આપવા 70 કીમીની સાયકલ રાઇડ

જાણીતા ગાયિકા લતા મંગેશકર અને મ્યુઝીક કંપોઝર બપ્પી લહેરી આપણી વચ્ચે સદેહ રહયાં નથી પણ તેમની યાદો હજી તાજી છે.

New Update

જાણીતા ગાયિકા લતા મંગેશકર અને મ્યુઝીક કંપોઝર બપ્પી લહેરી આપણી વચ્ચે સદેહ રહયાં નથી પણ તેમની યાદો હજી તાજી છે. ભરૂચ અને અંકલેશ્વરના સાયકલીસ્ટોએ બંને હસ્તીઓને અનોખી રીતે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા છે..

Advertisment

અંકલેશ્વરના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણ તથા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા શ્રદ્ધાંજલીના ભાગરૂપે 70 કીલોમીટરની સાઇકલ રાઇડ યોજી હતી. સ્વર કોકિલા લતા મંગેશકરે 13 વર્ષની ઉંમરમાં જ ગીત ગાવાનું શરૂઆત કર્યું હતું અને 90 વર્ષની ઉંમરે પણ છેલ્લુ ગીત ગાઈને વિશ્વમાં કરોડો ચાહકો બનાવ્યા છે. બપ્પી લહેરીપણ ભારતીય સિનેજગતના મહાન ગાયક અને કંપોઝર આપણે ગુમાવ્યા છે. બંને હસ્તીઓને શ્રધ્ધાંજલી આપવા માટે સાઇકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસની વાત કરવામાં આવે તો તેઓ અવારનવાર સાયક્લિંગ રાઈડનું આયોજન કરી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરી રહયાં છે આ ઉપરાંત તેમનો મુખ્ય ઉદ્દેશ લોકો ફિટ ઈંડિયા મુવમેન્ટ તરફ વધે અને પોતાના સ્વાસ્થ્યને સાચવે તેવો છે.

Advertisment
Latest Stories