અંકલેશ્વર : સુરોના સમ્રાટોને શ્રધ્ધાજલિ આપવા 70 કીમીની સાયકલ રાઇડ

જાણીતા ગાયિકા લતા મંગેશકર અને મ્યુઝીક કંપોઝર બપ્પી લહેરી આપણી વચ્ચે સદેહ રહયાં નથી પણ તેમની યાદો હજી તાજી છે.

New Update

જાણીતા ગાયિકા લતા મંગેશકર અને મ્યુઝીક કંપોઝર બપ્પી લહેરી આપણી વચ્ચે સદેહ રહયાં નથી પણ તેમની યાદો હજી તાજી છે. ભરૂચ અને અંકલેશ્વરના સાયકલીસ્ટોએ બંને હસ્તીઓને અનોખી રીતે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા છે..

અંકલેશ્વરના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણ તથા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા શ્રદ્ધાંજલીના ભાગરૂપે 70 કીલોમીટરની સાઇકલ રાઇડ યોજી હતી. સ્વર કોકિલા લતા મંગેશકરે 13 વર્ષની ઉંમરમાં જ ગીત ગાવાનું શરૂઆત કર્યું હતું અને 90 વર્ષની ઉંમરે પણ છેલ્લુ ગીત ગાઈને વિશ્વમાં કરોડો ચાહકો બનાવ્યા છે. બપ્પી લહેરીપણ ભારતીય સિનેજગતના મહાન ગાયક અને કંપોઝર આપણે ગુમાવ્યા છે. બંને હસ્તીઓને શ્રધ્ધાંજલી આપવા માટે સાઇકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસની વાત કરવામાં આવે તો તેઓ અવારનવાર સાયક્લિંગ રાઈડનું આયોજન કરી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરી રહયાં છે આ ઉપરાંત તેમનો મુખ્ય ઉદ્દેશ લોકો ફિટ ઈંડિયા મુવમેન્ટ તરફ વધે અને પોતાના સ્વાસ્થ્યને સાચવે તેવો છે.

Read the Next Article

ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update

ભરૂચમાં નૈઋત્યના ચોમાસાનું આગમન

સમી સાંજના સમયે વરસાદ વરસ્યો

9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો

ગાજવીજ સાથે વરસાદ

વાતાવરણમાં ઠંડક

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ગતરોજની જેમ રવિવારે પણ બપોર બાદ કાળા દિબાગ વાદળોની ફોજ આવી પહોંચી હતી અને પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. રવિવારની રજા લોકોએ વરસાદની મજા વચ્ચે માણી હતી નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લામાં સાંજના સમયે વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વાલિયામાં 20 મિમી,નેત્રંગમાં 19 મિમી, હાંસોટમાં 14 મિમી,ઝઘડિયા 5 મિમી, ભરૂચ 4 મિમી,અંકલેશ્વરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.સત્તાવાર ચોમાસું શરૂ થતાં પહેલાં જ અત્યાર સુધી મૌસમનો કુલ 16.22 ટકા વરસાદ નોંધાયો છે.