Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : કોસમડી અને રાજપીપળા ચોકડી પાસેથી ચોરીના એસ.એસ.ના લાખોના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ..!

કોસમડી અને રાજપીપળા ચોકડી પાસેથી ચોરીના એસ.એસ.ના સામાન સાથે પાંચ ઈસમોને કુલ રૂપિયા 8 લાખ 50 હજારના મુદામાલ સાથે 3 દિવસમાં ઝડપી લીધા છે.

અંકલેશ્વર : કોસમડી અને રાજપીપળા ચોકડી પાસેથી ચોરીના એસ.એસ.ના લાખોના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ..!
X

અંકલેશ્વરના કોસમડી અને રાજપીપળા ચોકડી પાસેથી ચોરીના એસ.એસ.ના સામાન સાથે પાંચ ઈસમોને કુલ રૂપિયા 8 લાખ 50 હજારના મુદામાલ સાથે 3 દિવસમાં ઝડપી લીધા છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાગરાના ગેલન્ડા ગામે ત્રિમૂર્તિ ફેબ્રિકેટર્સ કંપનીમાંથી ગત 7 જૂને ચોરીના ગુનામાં સંડોવાયેલ બે ઈસમો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નોરિસ કંપનીની બાજુમાં નહેર પાસે ફરી રહ્યા છે, જેવી બાતમી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે કોસમડી ગામમાં રહેતો આકાશ ઉર્ફે કાલુ વસાવા, મોહિત પાલે અન્ય 3 મિત્રો ગોરીયા, દાદુ, બીપલા સાથે મળી કંપનીના કમ્પાઉન્ડમાંથી રૂપિયા 3.87 લાખનો એસ.એસ.નો સામાન ચોરી કર્યો હતો.

જેને સામાન લઈ આવવા ડ્રાઈવર હરેશ ચૌહાણ સાથે પીક અપ વાન અંકલેશ્વરના ભંગારિયા મોન્ટુ પાસવાને મોકલી ચોરીનો માલ ખરીદી લીધો હતો. જે બીજા ભંગારના વેપારી દિનેશ જૈનને વેચી દેતા તેને અંકલેશ્વર જીઆઇડીસીની જાનવી મેટલના સુરેશ જૈનને સામાન વેચી મરાયો હતો. જેના ગોડાઉનમાંથી ચોરીનો માલ, 5 મોબાઈલ અને પીક અપ વાન મળી રૂપિયા 8 લાખ 50 હજાર ના મુદ્દામાલ સાથે 5 આરોપીની ધરપકડ કરાઈ છે.

Next Story